Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 28
________________ પૂજા કર્યા વિના મને ચેન ન પડે.” ડોકટરો પરસ્પર ઈગ્લીશમાં વાતો કરે છે, “આ જીદ્દી છે. વેદિયા છે. આપણે એમને એનેસ્થિસિયા આપીશું. તેથી ઘેનમાં રહેશે ને કાંઇ ઉપાધિ નહીં થાય”. રતિલાલ ધોતિયું પહેરે. તેથી ડૉકટરોને લાગ્યું કે એમને ઈંગ્લીશ આવડતું નહી હોય. પણ રતિભાઇ ઈંગ્લીશ જાણે. ડોકટરોની વાત સમજી ગયા. ઓપરેશન વખતે એનેસ્થિસિયા લેવાની ના પાડી દીધી. ડોકટરે દબાણ કર્યું. પણ રતિભાઇ કહે, “હું ચૂં કે ચા નહીં કરૂ. બધી વેદના સહન કરીશ” ઓપરેશન થયું. બીજે દિવસે નર્સને પૈસાની બક્ષિસ આપી પૂજા માટે રજા માંગી. નર્સે રજા ના આપી. રતિભાઇ પાછલી બારીથી ઊતરવા ગયા. ગભરાઇને નર્સે કોઇને ન કહેવાની શરતે રજા આપી. આમ બીજે દિવસે પૂજા કરી. ડોકટર કહે, “કેમ રતિભાઇ? પૂજા કરી હોત તો કેટલા રીબાત? આવું ગાંડપણ ન કરવું જોઇએ.” રતિભાઇ કહે : “ડોકટર! પૂજા સવારે કરી છે. મારા ભગવાનની પૂજાથી જ બચ્યો છું. ટાંકા પણ તૂટયા નથી. પ્રભુકૃપાથી જ બધું સારું થાય. ધર્મ કરવાની કદી કોઇને ના ન પાડવી....” રતિભાઇનું દૃઢ ધાર્મીપણું કેવું અનુમોદનીય? તમારે પણ અનંત ફળ આપનારી જિનપૂજા વગેરે ધર્મ રોજ કરવો જોઇએ. તમને તો રતિભાઇ જેવી બીમારી નથી. તો અનંત કલ્યાણ કરનારી અતિ આવશ્યક એવી પૂજા શા માટે ન કરવી? ધન્યવાદ ઘટે આવા સુશ્રાવકોને! તમે જિનપૂજા રોજ કરો એ શુભેચ્છા. જેન આદર્શ પ્રસંગો – ૧ * * ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52