Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 24
________________ પણ પત્ની માનતી નથી. અતિ આગ્રહને કારણે યુવાને સંઘપતિને પ્રાર્થના કરી કે કૃપા કરી મારી પત્નીની ઘણા. દિવસોની ઇચ્છા પૂર્ણ કરાવો... બધી વાત કરી. એટલામાં પત્ની ત્યાં દોડતા આવી સંઘપતિને હાથ જોડી કહે છે કે શેઠજી! આપ કહો તે કરીશ પણ આજે પહેલી પૂજા મને કરવા દો.... શેઠે કહ્યું કે એક શરતે હા પાડું. યુવાન કહે કે અમે સામાન્ય માણસો છીએ. અમારી શકિત હશે તો શરતી પૂર્ણ કરીશું. શેઠે કહ્યું કે જાવજજીવ બ્રહાચર્ય વ્રત લો તો લાભ તમને આપું. યુવાન વિચારમાં પડી ગયો. પણ પત્નીને પૂજાનો જોરદાર ભાવ. પતિને વિનંતી કરી કે તમે હા પાડી દો. ભાગ્યશાળીઓ ! જુવો કે કેવી શ્રાવિકા કે પૂજાનો લાભ લેવા ભરયુવાનીમાં ચોથું વ્રત લેવા તૈયાર થઇ ગયા! અને પતિને પણ ખૂબ આગ્રહ કરે છે. પત્નીની અતિ આજીજીને કારણે પતિ સંમત થયો. દાદા પાસે દંપતીએ અભિગ્રહ લીધો. - હવે શેઠ કહે છે કે હવે તમે પૂજા કરો પણ મારી તમને એક પ્રાર્થના છે. યુવાન કહે છે કે આટલું કઠિન વ્રત સ્વીકાર્યું, હવે પાછું શું બાકી રહ્યું છે? ત્યારે શઠે કહ્યું કે પહેલી પૂજાની મારી ઇચ્છા હતી. તેથી સોનાની વાડકી અને થાળી બનાવરાવી, સાથે લાવ્યો છું. તેનાથી પૂજા કરો.પત્ની કહે કે મારી શરત સ્વીકારો તો તમારી થાળી વાડકીથી પૂજા કરું. શેઠ ચિંતામાં પડયા. પણ થાળી વાડકીથી પૂજાનો લાભ લેવો હતો. તેથી તે બહેનની ઇચ્છા પૂછી. બહેને કહ્યું કે સંઘ સાથે મારા ઘરે પગલા કરો, તો તમારી જૈિન આદર્શ પ્રસંગો – ૧ * * * [૨૨] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52