Book Title: Jai Hind
Author(s): Vitthalbhai K Zaveri, Soli S Batliwala
Publisher: Janmabhumi Prakashan Mandir

View full book text
Previous | Next

Page 123
________________ જય હિન્દ દોસ્ત, દુશમની તાકાતને ઓછી આંકવાની ભૂલ તે કોઈ બેવકૂફ જ કરે. આપણે આપણુ દુશ્મને ના ખીચડી સેને જોયાં છે. આરાકાનમાં, કાલાદાન અને હાકામાં, ડિમ, મણિપુર અને આસામમાં જોયાં છે. આપણે પહેલેથી જ ધારતા હતા તે પ્રમાણે એમની પાસે આપણું કરતાં વધારે અને આપણું કરતાં ચઢિયાતી ખાધાખોરાકી અને શસ્ત્રસામગ્રી છે. કારણ કે એમની પાસે તે અને હિંદ પડે છે, લૂંટવા માટે. અને છતાં આપણે સર્વત્ર એમને પરાજિત કર્યા છે. ક્રાંતિની જે જગતમાં સર્વત્ર આવા જ સંગમાં લડી છે...અને છતાં સર્વત્ર અંતે તે એમને વિજય જ થયું છે. તેઓ પિતાની શક્તિ શરાબમાંથી કે ટીનના ડબાઓમાં પેક થયેલ સૂપ કે ગાયના માંસમાંથી નથી મેળવતા. શક્તિનું મૂળ તે શ્રદ્ધા અને ત્યાગમાં, વીરત્વ અને શૈર્ષમાં હોય છે. આઝાદ હિંદ ફોજની તાલીમ બ્રિટિશ હિંદ ફોજની તાલીમ કરતાં જુદા જ પ્રકારની છે. બ્રિટિશ હિંદ ફેજને જે શીખવવામાં નથી આવ્યું તે એને શીખવવામાં આવ્યું છે. અને તે એ કે, “સંકટ અને સખતાઈ ભર્યા સંજોગોમાં પણ લડતા રહેવું. જે ૩૮ કરોડ હિંદીઓની આઝાદીને ખાતર એણે શો ઉપાડયાં છે, તેમને એ કદી જ છે નહિ દે.” જુલાઈ ૧૫, ૧૯૪૪ દિલ્લીના છેલ્લા શહેનશાહ બહાદુરશાહની સમાધિ પાસે આજે ફેજ તરફથી એક ભવ્ય પરેડ થઈ - ૧૮૫૭ના આઝાદી-જંગની નેતાજીએ ચર્ચા કરી. એની નિષ્ફળતાનાં કારશોનું એમણે બહુ જ ઝીણવટભર્યું પૃથક્કરણ આપ્યું. માજના જંગની સાથે એની તુલના કરી. છેવટે આઝાદીની મહાદી ઉપર ખતમ થઈ જવાની સાને હાકલ કરી. “૧૮૫૭ની ઘટનાઓને અભ્યાસ કરું છું અને કાતિ તૂટી પડી તે પછી બ્રિટિશરોએ જે અત્યાચાર કર્યા તેમને વિચાર કરું છું...ને લેહી સળગી ઊઠે છે. બ્રિટિશ વ્યાસ અને પાશવતાને શિકાર બનેલ એ ૧૮૫૭ના વીરેનું વેર લેવાની આપણી ફરજ છે-જે આપણે મર્દ બચ્ચાઓ હેઈએ તે. હિંદ એ વેરની વસૂલાત માગે છે. ફક્ત યુદ્ધ દરમ્યાન જ નહિ, પણુ યુદ્ધ પછી પણ, બેગુનાહ આઝાદીપરનું શાણિત વહેવડાવનારા અને એમના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152