________________
ધર્મનું જ શરણું લે, ધર્મસાધના કરે એમાં કાંઈ ભવના ફેરા વધતાં નથી પરંતુ ધર્મ શ્રદ્ધા વધે છે. પરિણામે દ્રઢધર્મી થાય છે.
પૂજ્યશ્રી એવું જરાય ઈચ્છતા નથી કે ધર્મશ્રદ્ધાળુ વર્ગ વૈરાગ્યાદિને ભૂલી જાય. તેથી જ તો પૃ.૧૧૭ માં પહેલાં જ કહી આવ્યા છે કે –“દર્શનપૂજા ત્રિભુવનચક્રવર્તી તીર્થંકર ભગવાનનાં કરવા છતાં વાસ્તવમાં પ્રભુ પાસેથી થોડો ય વૈરાગ્ય નથી લેવાતો, એટલે પ્રભુ પાસે તુચ્છ ચીજની ભિક્ષા મંગાય છે ! તેમ શ્રદ્ધાબળ નથી લેવાતું કે ‘અરિહંત પરમાત્મા અચિત્ત્વ પ્રભાવી છે, એટલે જગતનું ય સારું મળશે તો તે આ નાથના પ્રભાવે જ મળશે, એમના પ્રભાવે જરૂ૨ મળશે, માટે ‘નમું તો આ નાથને જ, ભજું તો આ પ્રભુને જ, સ્મરું – જપું તો આ અહિંહતને જ’– આ શ્રદ્ધાબળ ન હોય એટલે પછી બજા૨વેપાર-ઈજ્જત વગેરે પર યા દોરા - ધાગા-મંત૨-જંતર વગેરે પર શ્રદ્ધા કરાય છે !’’
આ રીતે પૂજ્યશ્રી, સંસારમાં આવશ્યક કર્તવ્યપાલન કે આપત્તિ નિવારણના ઉપદેશથી કરાતી જિનોકત ધર્મક્રિયાથી મળતા ફળ દ્વારા ધર્મશ્રદ્ધા વધારવાના કારણે લોકો દોરા-ધાગા-મતર-જંતર યા મિથ્યા દેવદેવીની માન્યતાના અનિષ્ટથી બચતા રહે એ સારી રીતે સમજે છે. એટલે એને વિષક્રિયાનું લેબલ લગાડીને ક્યાંય વખોડી કાઢતા નથી. આ રીતે તેઓ પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનશૈલીને પણ પૂરેપૂરા અનુસરે છે. હજુ પણ આગળ જુઓ.(પૃ.૨૪ કોલમ ૨) “હેયઉપાદેયના વિવેકીને જે કાંઈ કરવાનું રહે તે પોતાનું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ તત્ત્વ પ્રગટ કરવા માટે જ કરવાનું હોય.” આ કીધા પછી તે સાવધાની આપે છે કે જોજો દરેક ધર્મપ્રવૃત્તિમાં માત્ર ચરમ લક્ષ્ય (પ્રયોજન) પોતાનું શુદ્ધ સ્વરૂપ (મોક્ષ) જ નજરમાં રાખીને અનંતર પ્રયોજનની ઘોર ઉપેક્ષા નહિ કરતા, પરંતુ નિકટનું શુભ પ્રયોજન પણ ખાસ નજરમાં રાખજો.'
એટલે એ જ પૃષ્ઠમાં “એમ આધ્યાત્મિક જીવનમાં દયા-દાનાદિ આચાર પાળે એ શા માટે ? તો કે સમ્યક્ત્વરૂપી ફળ માટે. સમ્યક્ત્વ આવ્યું, હવે
(૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org