Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ (૧) વળી જો સ્વસ્થતા સમાધિનો જ અર્થ મોક્ષમાર્ગ લઈએ તો વ્યાખ્યાકારોએ જે પછી લખ્યું કે “તતશ્ચ ઉપાદેય પ્રવૃત્તિ:' અર્થાત “સમાધિથી પછી ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે.” એ લખવું નિરર્થક બની જાય. કેમકે આમાં ઉપાદેય એટલે જ મોક્ષમાર્ગ, ને એ તો તમે “સમાધિ પદથી જ લઈ લીધો. (૨) અગર કહો “ઉપાદેયએટલે મોક્ષ. તો સવાલ આ છે કે “ઉપાદેયમાં પ્રવૃત્તિ” કહી એટલે શું મોક્ષમાં પ્રવૃત્તિ કરવાની? પ્રવૃત્તિ તો મોક્ષનાં માર્ગમાં-ઉપાયમાં હોય, મોક્ષમાં નહિ. મોક્ષ તો ફળ છે, પ્રવૃત્તિ ફળના ઉપાયમાં હોય? કે ફળમાં હોય? (૩)ખરી વાત એ છે કે અહીં પૂર્વાચાર્યોએ “સમાધિ શબ્દ ન લેતાં ‘ચિત્તસ્વાસ્થય' શબ્દ લીધો છે એનો અર્થ “ચિત્તની સ્વસ્થતા-અવ્યાકુળતાપ્રસન્નતા થાય, ને એ થવાનું ઈહલૌકિક ઈચ્છિત વસ્તુ બની આવવાથી શક્ય છે, એટલે જ આ ચિત્તસ્વસ્થતા એટલે મોક્ષમાર્ગ એવો અર્થ જ અહીં અસંગત છે અપ્રસ્તુત છે. (૪) આમાં પણ વાસ્તવમાં માગણી ઈચ્છિત ઈહલૌકિક વસ્તુની જ છે, પણ નહિ કે ચિત્તસ્વસ્થતા-સમાધિની. એટલે પણ સમાધિનો અર્થ મોક્ષમાર્ગ કરી મોક્ષની માગણીનો પરમાર્થ-ભાવાર્થ કાઢવો એય શાસ્ત્રવચન સાથે અસંગત છે. (૫) કદાચ કહો કે “ઈષ્ટફળ તરીકે આ લોકની વસ્તુની માગણી તો ખરી, પરંતુ તે મોક્ષમાર્ગ માટે છે,” તો આમાં તમે એટલું તો કબુલ કર્યું ને કે ભગવાન આગળ ભલે મોક્ષમાર્ગ માટે પણ આ લોકની વસ્તુ માગી શકાય તો પછી ભગવાન આગળ આ લોકનું કશું મંગાય જ નહિ એમ બોલવું એ ઉન્મત્ત પ્રલાપ નથી? મહાન આચાર્ય ભગવંતો ગણધર-વચનને સમજવામાં અને એની વ્યાખ્યા કરવામાં કેટલા બધા ચકોર અને ચોક્કસ હોય છે, એ અહીં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજના સૂત્ર જેવા વ્યાખ્યાશબ્દોમાં જોવા મળે છે. એમણે ઈષ્ટફલસિદ્ધિ તો ઈહલૌકિકી(લેવી), જેનાથી અનુગૃહીત માણસને ચિત્તસ્વાથ્ય થાય છે એ લખતા પહેલાં લખ્યું કે “ઈષ્ટફળસિદ્ધિ એટલે અવિરોધીફળનિષ્પત્તિ.” (૧૮૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218