Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ અર્થ :- તથા ઈષ્ટફળ સિદ્ધિ એટલે (જે ઉપાદેય ધર્મમાં પ્રવૃતિ કરવી છે એને) વિરુધ્ધ નહિ એવી વસ્તુની પ્રાપ્તિ; કારણ કે એ પ્રાપ્તિ થી(ઈષ્ટની) ઈચ્છાનો વિદ્યાત અર્થાત (અ-પૂર્તિ) નથી રહેતી. એટલે પૂર્તિ થવાને લીધે, સુમનસ્કતા (ચિત્તની સ્વસ્થતા) થાય છે, તેથી ઉપાદેય (ધર્મ)માં અવ્યાકૂળ પ્રયત્ન થાય છે. કિન્તુ આ ઉપાદેયનો અવ્યાકુળ પ્રયત્ન બીજી જગ્યાએ (અર્થાત્ ઈષ્ટમાં) ઉત્સુકતા ન મટી હોય એવા પુરુષને થતો નથી. (આ એક વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા, ) આ પણ વિદ્વાન પુરૂષોની વ્યાખ્યા છે, કે ઈષ્ટફળ સિદ્ધિતો ઈહલૌકિક સંબંધિ (લેવાની), તેનાથી ઉપકૃત (મનુષ્ય)ને ચિત્તની સ્વસ્થતા થાય છે. (૨) મહાવિદ્વાન નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાશ્રી ‘પંચાશક’ શાસ્ત્રની (૪-૩૩)ની ટીકામાં લખે છે, “इष्टफलसिद्धिःअभिमतार्थनिष्पत्ति:ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति, ततश्च धर्मे प्रवृत्तिः स्यादिति । ލ અર્થ :- ઈષ્ટફળ સિદ્ધિ એટલે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ, જેનાથી ઉપકૃત થયેલા જીવને ચિત્તની સ્વસ્થતા થાય છે, અને પછી ધર્મમાં પ્રવૃત્તિ થાય. જીવનમાં અરિહંતદેવનું સ્થાન : ‘ઈષ્ટફળસિદ્ધિ’નો શાસ્ત્રીય અર્થ (લેખાંક-૨) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, આસો સુદ-૧૨, અંક નં.૫) ઈષ્ટફલસિદ્ધિની બે મહાન શાસ્ત્રકારોની વ્યાખ્યા જોઈ. હવે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ‘શ્રી યોગશાસ્ત્ર’ (૩-૧૨૪) ની ટીકામાં શું લખે છે. તે જોઈએ. એ લખે છે. (૩) ‘તથા ‘તૃષ્ટસિદ્ધિ:’સમિમતાર્થ-નિત્તિ: ઐહૌીિ ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माच्चोपादेयप्रवृत्तिः ।” અર્થ :- તથા ‘ઈષ્ટસિદ્ધિ' એટલે ઈચ્છિત (વસ્તુ) ની ઉત્પત્તિ - (પ્રાપ્તિ), જે આ લોકસંબંધી હોય છે, જેનાથી ઉપકૃત થયેલા (જીવ) ને ચિત્તની સ્વસ્થતા થાય છે, અને એના લીધે ઉપાદેય (ધર્મ) માં પ્રવૃત્તિ થાય છે. (આમાં ય સ્પષ્ટ આ લોકની વસ્તુ માંગી.) Jain Education International (૧૭૬) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218