Book Title: Ishtafal Siddhi Prakaran
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ૧૨૨. જીવનમાં અરિહંતદેવનું સ્થાન : ઈષ્ટફળ-સિદ્ધિનો શાસ્ત્રપાઠ-સિદ્ધ અર્થ (લેખક-પૂજ્યપાદ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા) (લેખાંક-૧) (દિવ્યદર્શન, વર્ષ-૩૩, વિ.સં.૨૦૪૦, આસો સુદ-૫, અંક નં.૪) જૈનના જીવનમાં પરમાત્મા અરિહંતદેવનું સ્થાન કેટલું ? તો કે જીવનમાં અરિહંતદેવની મુખ્યતા હોય; અર્થાત્ બધી વાતમાં અરિહંતદેવને આગળ કરનારો હોય. માટે તો સવારે જાગતા તરત પહેલું ‘નમો અરિહંતાણં' યાદ કરવાનું શાસ્ત્ર કહે છે. એટલું જ નહિં ‘સૂતા બેસતાં ઊઠતાં જે સમરે અરિહંત ’ પણ અરિહંતદેવને વાતવાતમાં યાદ કરવાનું શીખવે છે. અરે ! ‘ધર્મસંગ્રહ’ શાસ્ત્ર કહે છે, - ઘરેથી આજીવિકા માટે નીકળતાં નમસ્કારાદિ મંગળ કરે. શું સંસારની વાતમાં ભગવાનને લવાય ? હા, લવાય. સંસારના ઝેરથી બચવા ભગવાનને જ આગળ કરાય. શું લગ્નની ચોરીમાં નવકાર ગણીને બેસે એણે ગુનો કર્યો ? પરગામ જવા નવકાર ગણીને નિકળે એ શું એણે પાપ કર્યુ ? ગાડીમાં ખીસાં ના કપાઈ જાય, કે રસ્તામાં ગાડી -રિક્ષાનો અકસ્માત ન થાય, એ માટે નવકા૨થી અરિહંત પ્રભુને નમસ્કાર કર્યો એ શું એણે પાપ કર્યું ? ‘ભગવાનને તો માત્ર મોક્ષ માટે જ યાદ કરાય, સંસારની વાતમાં ભગવાનને લવાય જ નહિ’ ' ભગવાન પાસે સંસારનું જરૂરી કશું મંગાય જ નહિં,’- આ ભ્રમણામાં પડેલો જીવ જીવનમાં અરિહંતને મુખ્ય ક૨વાના મહાન કર્તવ્ય અને કૃતજ્ઞતા ભૂલે છે. જીવનમાં હાલતાં ને ચાલતાં પરમાત્મા અરિહંતદેવને મુખ્ય કરવાનું કારણ એ છે કે, ઉપમિતિ શાસ્ત્ર કહે છે, - ઠેઠ નિગોદમાંથી જીવ આટલે ઊંચે ઉત્તમ મનુષ્ય જન્મ સુધી આવ્યો એ અરિહંતદેવના પ્રભાવે, અને હજી મોક્ષ સુધી પહોંચશે તે પણ એ ભગવાનની કૃપાથી. તો પછી કૃતજ્ઞતારૂપે પણ એ પ્રભુને કેમ એક ક્ષણ પણ ભૂલાય ? પ્રભુને જીવનમાં ક્યાં ને ક્યારે ભૂલાય ? કહો બધે જ અરિહંત પ્રભુ આગળ કરાય. જીવનમાં અરિહંત દેવનું સ્થાન સાર્વત્રિક હોય. Jain Education International (૧૭૩) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218