Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ કારણે પરમાત્માનો જપ; સ્તોત્રપાઠ કરતાં કરોડ ગુણ ફ્ળપ્રદ બને છે. કારણ કે વાગ્યોગની અપેક્ષાએ મનોયોગનું સામર્થ્ય અધિક છે. આથી જ મૌનવિશેષથી અંતર્જલ્પાકાર જપ પ્રશસ્તરૂપે મનાય છે. યોગના કારણે ઉત્પન્ન થયેલી દષ્ટિ સ્વરૂપ પ્રાતિભજ્ઞાનથી યોગના વિશારદ પુરુષો આ જપને ધ્યાનની વિશ્રામભૂમિકા તરીકે જણાવે છે. અર્થાદ્ ધ્યાનને પામવા માટેની શરૂઆત આ જપથી કરવામાં આવે છે. ધ્યાનની સિદ્ધિના શિખરે આરોહણ કરવા માટે પ્રથમ ભૂમિકા સ્વરૂપ આ જપ છે. ત્યાંથી જ ચઢવાની શરૂઆત થાય છે. ||૧૬-૧૫॥ &A પાતંજલદર્શનના અનુયાયીઓ વગેરે, જેવા ઈશ્વરને માને છે; તેવા ઈશ્વરને તમે(જૈનો) માનતા નથી; તો આર્થવ્યાપાર(તદાજ્ઞાપાલનસ્વરૂપ વ્યાપાર)ને આશ્રયીને પણ પરમાત્માના અનુગ્રહની સિદ્ધિ કઈ રીતે થાય ? આ શાના સમાધાનમાં વિષયવિશેષના પક્ષપાતથી જ તે સિદ્ધ થાય છે... ઈત્યાદિ અભિપ્રાયે જણાવાય છે. અર્થાત્ તાદશ અભિપ્રાયથી ગ્રંથકારશ્રી જણાવે છે माध्यस्थ्यमवलम्ब्यैव, देवतातिशयस्य च । सेवा सर्वैर्बुधैरिष्टा, कालातीतोऽपि यजगौ ॥ १६-१६॥ “માધ્યસ્થ્યનું અવલંબન લઈને જ દેવતાતિશયની સેવા બધા વિદ્વાનોએ ઈષ્ટ માની છે, જેથી કાલાતીતે ૨૮

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58