Book Title: Ishanugrah Vichar Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ જુદી જુદી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે છે. આ રીતે પરસ્પર તે તે દર્શનકારોની વાતમાં પરસ્પર વિરોધ આવે છે. તેમ જ ગુણના પ્રર્ષ સ્વરૂપ વિશેષવાળા પુરુષ સ્વરૂપ પરમાત્માની આરાધનાથી પ્રાપ્ત કરવા યોગ્ય કલેશાભાવસ્વરૂપ ફળમાં કોઈ જ ભેદ(મતભેદ) નથી. અર્થાદ્ ગુણપ્રકર્ષસ્વરૂપે પરમાત્માની આરાધનાથી કલેશના અભાવ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે : એમાં કોઈને વિવાદ નથી. તેથી પરમાત્મામાં એકાંતે નિત્યસ્વાદિ વિશેષની કલ્પના નિરર્થક છે. ભાવથી-પરમાર્થથી (વાસ્તવિક રીતે) ગુણપ્રકર્ષાત્મક વિશેષવાળા પરમાત્માની પ્રત્યેનું બહુમાન જ ફળ(કલેશાભાવસ્વરૂપ ફળ)ને આપનારું છે અને તે મુક્ત, બુદ્ધ વગેરે બધામાં સરખું જ છે. I૧૬-૨ના SAURURLAUB સંસારના કારણને આશ્રયીને કલ્પનાની નિરર્થકતા જણાવાય છે अविद्याक्लेशकर्मादि, यतश्च भवकारणम् । તતઃ પ્રધાનમેવૈત, સંમેમુપાતિમ્ ૨૬-રશા શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદાંતીઓ અવિદ્યાને, સાખ્યો કલેશને, જૈનો કર્મને અને બૌદ્ધો વાસનાને તેમ જ શૈવો પાશને ભવ-સંસારનું કારણ માને છે. તેથી અવિદ્યા વગેરે જે તે તે દર્શનકારોએ સંસારના કારણ તરીકે માન્યા છે, તે અમે માનેલા પ્રધાનસ્વરૂપ(પ્રકૃતિસ્વરૂપ) જ ભવના હેતુ છે. માત્ર નામનો ભેદ છે. બાકી તો ભવહેતુત્વ સ્વરૂપ એક

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58