Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 274
________________ ચોથો ઉપધાનાચાર ૨૬૩ એક સાથે કરવામાં આવે છે. તેથી બીજા યોગોના તપ કરતાં તેના યોગનો તપ અતિ દુષ્કર છે, માટે તેનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ થાય છે. આ (ઉત્કૃષ્ટપણાના) કારણને લીધે પણ જેઓ મહાનિશીથને પ્રમાણિક માનતા નથી, તેઓની શી ગતિ ? તે અમે જાણી શકતા નથી. (અર્થાત્ ઘણી જ માઠી ગતિ થવી જોઈએ.) કેમ કે શ્રુતનો અપાલાપ કરવો એ મહામોટું પાપ છે. મૂઢ બુદ્ધિવાળાએ “મહાનિશીથ નામનું સૂત્ર શ્રુત કહેવાય કે નહીં, એવો સંદેહ રહે છે” એમ કદિ પણ કહેવું નહીં. કેમકે નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્ર વિગેરેમાં “નિસીહં મહાનિસીહં” એ પ્રમાણે પ્રત્યક્ષ કહ્યું છે. (તેથી તે શ્રત છે, એમ સિદ્ધ થાય છે.) વળી “નંદિસૂત્રાદિક પણ શ્રુત ગણાય કે નહીં?” એવી શંકા કરવી નહીં કારણ કે એમ કહેવાથી શ્રી આચારાંગ અને ઔપપાતિક (ઉવવાઈ) વિગેરે સૂત્રો કે જે હાલના સમયમાં વર્તમાન છે, તેનું પણ નંદિસૂત્રાદિકમાં શ્રુતપણું કહેલું છે. તેથી તેમને પણ ધૃતરહિતપણાનો પ્રસંગ આવશે, તે નિવારણ કરી શકાશે નહીં. અને એ પ્રમાણે સમીક્ષા (વિચાર) કર્યા વિના ભાષણ કરવા વડે અશાતના કરનારા પુરૂષોને જિનાદિક દેવને વિષે પણ જેમ તેમ પ્રલાપ કરવામાં વાંધો આવશે નહીં. (અર્થાત્ તેમને કોઈ અટકાવે તેમ નથી.) આ પ્રમાણે મહાનિશીથનું પ્રમાણપણું સિદ્ધ થાય છે; છતાં જેઓ અનંત સંસારનાં દુઃસહ દુઃખોથી પણ નહીં ભય પામતાં છતાં કેવળ કદાગ્રહને લીધે મોટા સાહસને અંગીકાર કરીને મહાનિશીથને પ્રમાણ રૂપ ન માનતા હોય, તેઓને પણ ઉપધાન તપ તો અંગીકાર કરવાનું છે. કારણ કે ચૌદ પૂર્વધારી શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલા દશવૈકાલિક-નિયુક્તિ આદિ ગ્રંથોમાં “કાલે વિણએ બહુમાણે ઉવહાણેo (કાળ, વિનય, બહુમાન, ઉપધાન)” એ ગાથામાં ઉપધાન પ્રત્યક્ષ રીતે કરવાનું કહ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322