Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 282
________________ શ્રાવકોના ઉપધાન વિષે દૃષ્ટાંત ૨૭૧ કરીશ, તો જ આ દુષ્કર્મનો ક્ષય થશે, અન્યથા થશે નહીં. તે વિષે પરમઋષિનું વચન છે કે- “હે જીવ! પૂર્વ જન્મમાં કરેલાં પાપો તથા ખરાબ (અવિધિએ) આચરણ કરેલી ક્રિયાઓ કે જેમની આલોચના કરી નથી તેનો વેદવાથી જ (ભોગવવાથી જ) ક્ષય થાય છે; ભોગવ્યા વિના તેનો ક્ષય થતો નથી પરંતુ તપસ્યા વડે તે કર્મનો ક્ષય થઈ શકે છે.’’ વળી કહ્યું છે કે- “નિયાણા વિના વિધિપૂર્વક કરેલી તપસ્યાની શી પ્રશંસા કરીએ? કે જે તપસ્યા વડે નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે.' આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને તે મહેભ્યપુત્રે બાલ્યાવસ્થા હોવા છતાં તથા સર્વ પ્રકારે સુખી છતાં ગુરુમહારાજના કહ્યા પ્રમાણે વિનયાદિક વિશેષ પ્રકારે ઘણા વર્ષ સુધી ઉત્સાહ સહિત કર્યા. તેથી ઘણા ઘુણ જાતિના જીવડાના સમૂહને યોગ્ય કઠિન લાકડાની જેમ નિબિડ (ગાઢ) એવું પણ તેનું જ્ઞાનાવરણીય કર્મ ધીમે ધીમે ઓછું થયું. ત્યારપછી મહાનિશીથમાં કહેલા મુખ્ય વિધિ વડે સાવધાન મનથી ઉપધાન વહન કરીને તે નમસ્કારાદિક સૂત્રનો અભ્યાસ કરવા લાગ્યો. તેમ કરવાથી પૂર્વભવનાં દુષ્કર્મનો સર્વથા ક્ષય થયો એટલે સમગ્ર શસ્ત્રોનો પારગામી થઈ તે પણ ગુરુદત્તની ઉપમાને પામ્યો. તે જોઈને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પ્રાયઃ સર્વે શ્રાવકો ઉપધાન વિધિનું આરાધન કરવા લાગ્યા. પછી પરમ શ્રાવક એવા તે બન્ને બાંધવોએ એવી રીતે જ્ઞાનની આરાધના કરી કે તે જ ભવમાં દ્રવ્ય દીક્ષા અંગીકાર કર્યા વિના પણ કેવળજ્ઞાન પામીને સિદ્ધિ સૌધ ઉપર આરૂઢ થયા, અર્થાત મોક્ષે ગયા. આ પ્રમાણે ઉપધાનની આરાધના તથા અનારાધનાનું ફળ સાંભળીને (જાણીને) પ્રમાદનો ત્યાગ કરી તેનું આરાધન કરવામાં સમ્યક્ પ્રકારે ઉદ્યમ કરવો. ॥ ઇતિ વ્યાખ્યાતૠતુર્થ: ઉપધાનાચારઃ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322