SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકોના ઉપધાન વિષે દૃષ્ટાંત ૨૭૧ કરીશ, તો જ આ દુષ્કર્મનો ક્ષય થશે, અન્યથા થશે નહીં. તે વિષે પરમઋષિનું વચન છે કે- “હે જીવ! પૂર્વ જન્મમાં કરેલાં પાપો તથા ખરાબ (અવિધિએ) આચરણ કરેલી ક્રિયાઓ કે જેમની આલોચના કરી નથી તેનો વેદવાથી જ (ભોગવવાથી જ) ક્ષય થાય છે; ભોગવ્યા વિના તેનો ક્ષય થતો નથી પરંતુ તપસ્યા વડે તે કર્મનો ક્ષય થઈ શકે છે.’’ વળી કહ્યું છે કે- “નિયાણા વિના વિધિપૂર્વક કરેલી તપસ્યાની શી પ્રશંસા કરીએ? કે જે તપસ્યા વડે નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે.' આ પ્રમાણે ગુરુના મુખથી સાંભળીને તે મહેભ્યપુત્રે બાલ્યાવસ્થા હોવા છતાં તથા સર્વ પ્રકારે સુખી છતાં ગુરુમહારાજના કહ્યા પ્રમાણે વિનયાદિક વિશેષ પ્રકારે ઘણા વર્ષ સુધી ઉત્સાહ સહિત કર્યા. તેથી ઘણા ઘુણ જાતિના જીવડાના સમૂહને યોગ્ય કઠિન લાકડાની જેમ નિબિડ (ગાઢ) એવું પણ તેનું જ્ઞાનાવરણીય કર્મ ધીમે ધીમે ઓછું થયું. ત્યારપછી મહાનિશીથમાં કહેલા મુખ્ય વિધિ વડે સાવધાન મનથી ઉપધાન વહન કરીને તે નમસ્કારાદિક સૂત્રનો અભ્યાસ કરવા લાગ્યો. તેમ કરવાથી પૂર્વભવનાં દુષ્કર્મનો સર્વથા ક્ષય થયો એટલે સમગ્ર શસ્ત્રોનો પારગામી થઈ તે પણ ગુરુદત્તની ઉપમાને પામ્યો. તે જોઈને શ્રદ્ધા ઉત્પન્ન થવાથી પ્રાયઃ સર્વે શ્રાવકો ઉપધાન વિધિનું આરાધન કરવા લાગ્યા. પછી પરમ શ્રાવક એવા તે બન્ને બાંધવોએ એવી રીતે જ્ઞાનની આરાધના કરી કે તે જ ભવમાં દ્રવ્ય દીક્ષા અંગીકાર કર્યા વિના પણ કેવળજ્ઞાન પામીને સિદ્ધિ સૌધ ઉપર આરૂઢ થયા, અર્થાત મોક્ષે ગયા. આ પ્રમાણે ઉપધાનની આરાધના તથા અનારાધનાનું ફળ સાંભળીને (જાણીને) પ્રમાદનો ત્યાગ કરી તેનું આરાધન કરવામાં સમ્યક્ પ્રકારે ઉદ્યમ કરવો. ॥ ઇતિ વ્યાખ્યાતૠતુર્થ: ઉપધાનાચારઃ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy