________________
૨૭૨
પાંચમા અનિહવાચાર વિષે
શ્રુતનો અભ્યાસ કરીને પણ ગુરુ તથા શ્રુતાદિકનો નિહવ (અપલાપ) કરવો નહીં. જેની પાસે અભ્યાસ કર્યો હોય, તે (ગુરુ) જો અપ્રસિદ્ધ હોય, તથા જાતિ અને શ્રુતાદિકથી રહિત હોય, તોપણ તેને ગુરુ તરીકે જ કહેવા. પરંતુ પોતાની ગૌરવતાને માટે બીજા કોઈ યુગપ્રધાનાદિક પ્રસિદ્ધને ગુરુ તરીકે કહેવા નહીં. તેમજ જેટલું શ્રુત ભણ્યા હોઈએ તેટલું જ કહેવું, પરંતુ ન્યૂનાધિક કહેવું નહીં. કેમકે તેથી મૃષા ભાષણ, ચિત્તનું મલિનપણું, જ્ઞાનાતિચાર વિગેરે દોષ પ્રાપ્ત થાય છે. ગુરુ વિગેરેનો નિન્હેવ કરવામાં મોટું પાપ છે, તે વિષે લોકમાં પણ કહ્યું છે કે
જ્ઞાનપદ ભજીએ રે
एकाक्षर प्रदातारं यो गुरं नैव मन्यते ।
श्वानयोनिशतं गत्वा, चांडालेष्वपि जायते ॥१॥
અર્થ “જે માણસ એક અક્ષર પણ આપનાર ગુરુને માનતો નથી, તે સો વાર કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈને ચંડાલને વિષે જન્મે છે.’
ગુરુનો અપલાપ કરવા ઉપર સંન્યાસીની કથા
કોઈ એક વિદ્યાવાન હજામ વિદ્યાના બળથી અસ્ત્રાની કોથળીને આકાશમાં નિરાધાર રાખતો હતો. તે જોઈને એક પરિવ્રાજકે તે વિદ્યા લેવા માટે તેની ઘણી સેવા કરી, તેથી પ્રસન્ન થઇને તે હજામે તેને વિદ્યા આપી. પછી તે સંન્યાસી પોતાના દંડ કમંડલુને આકાશમાં નિરાધાર રાખવાથી સ્થાને સ્થાને લોકોથી પૂજાવા લાગ્યો. એક દિવસ રાજાએ સંન્યાસીને ભોજનનું આમંત્રણ આપી પોતાને ઘેર બોલાવીને પૂછ્યું કે— “તમારા ગુરુ કોણ છે ?” સંન્યાસીએ કહ્યું કે– “મારા ગુરુ નિરંતર હિમાલયમાં રહીને ફળાહાર કરનારા મહા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org