________________
પાંચમા અનિવાચાર
૨૭૩
તપસ્વી ઋષિ છે.’' આ પ્રમાણે બોલતાં જ તેનો ત્રિદંડ કે જે આકાશમાં નિરાધાર હતો, તે ઊંચે ઊછળેલી લાકડીની જેમ આકાશથી ખડખડ શબ્દ કરતો પૃથ્વી પર પડ્યો. તથા લોકમાં તે હાંસી, અપમાન વિગેરેને પામ્યો. માટે કોઈએ પણ કોઈ પ્રકારે ગુરુનો નિહવ કરવો નહીં. તેમાં પણ ઘણા ધર્માર્થી મનુષ્ય તો બિલકુલ નિર્જાવ કરવો નહીં.
॥ ઇતિ પંચમો અનિન્હવાચારઃ ।।
છઠ્ઠો, સાતમો ને આઠમો જ્ઞાનાચાર [વ્યંજન, અર્થ અને તે બન્ને
વળી શ્રુત જ્ઞાનના અર્થીએ વ્યંજન (અક્ષર) અને અર્થ તથા તે બન્ને વઢે શુદ્ધ એવા સૂત્રનો અભ્યાસ કરવો. તેમાં વ્યંજન એટલે અક્ષર. અક્ષરને અન્યથા કરવામાં તથા ન્યૂનાધિક કરવામાં અશુદ્ધ થવાને લીધે અનેક મહાદોષો, મહા આશાતનાઓ અને સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ વિગેરે દોષો પ્રાપ્ત થાય છે. કેમકે વ્યંજનનો ભેદ (ફેરફાર) થવાથી અર્થનો ભેદ થાય છે, અર્થનો ભેદ થવાથી ક્રિયાનો ભેદ થાય છે, ક્રિયાનો ભેદ થવાથી મોક્ષનો અભાવ થાય છે, અને મોક્ષનો અભાવ થવાથી સાધુ તથા શ્રાવકને ધર્મનું આરાધન, તપસ્યા, ઉપસર્ગનું સહન કરવું, એ વિગેરે કષ્ટસાધ્ય ક્રિયાઓ પણ નિરર્થક થાય છે. તેમાં સૂત્રનું અન્યથાપણું કરવું એટલે પ્રાકૃતને બદલે સંસ્કૃત કરવું તે, જેમ “ધર્મો મંગલમુત્કૃષ્ટ (ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે)” અથવા તેના પદોને ઊલટસુલટ બોલવાં જેમ કે “ પુણોકલ્લાણમુક્કોસ ૩. અથવા સૂત્રમાંના એક અક્ષરને બદલે બીજો અક્ષર કરવો, જેમ કે ધમ્મો' એ ધકારને સ્થાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org