SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ જ્ઞાનપદ ભજીએ રે કકાર વિગેરે કોઈ પણ અક્ષર બોલવો. ૪. અથવા વર્ણોને ઊલટા (છેલ્લેથી) બોલવા, જેમ કે “દેવાવિ” ને બદલે “વિવાદે” એમ બોલવું ૫. એ જ પ્રમાણે અર્થને તથા વ્યંજન અને અર્થ એ બન્નેને અન્યથા કરવામાં તથા ચૂનાધિક કરવામાં દોષો જાણી લેવા. તેમાં વ્યંજનને અન્યથા કરવામાં “ચૈત્યવંદનાદિક સૂત્રો પ્રાકૃત ભાષામાં છે, તેને હું સંસ્કૃત ભાષામાં કરૂં” આટલું માત્ર બોલવાથી જ “સિદ્ધસેન દિવાકરને” પારાંચિક પ્રાયશ્ચિત પ્રાપ્ત થયું તેનું દૃષ્ટાંત આ પ્રમાણે શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત વિદ્યાધર ગચ્છમાં “શ્રી પાદલિપ્ત” સૂરિની પરંપરા વિષે ‘‘સ્કંદિલ” નામના આચાર્ય સંઘનાં અનેક કાર્યો કરતા. કરતા ગામે ગામ વિહાર કરતાં ગૌડ દેશમાં આવ્યા. ત્યાં “કોસલ” નામના ગામનો રહીશ “મુકુંદ” નામનો વૃદ્ધ બ્રાહ્મણ તેમને મળ્યો. તે બ્રાહ્મણે ગુરુ મહારાજ પાસે આ પ્રમાણે દેશના સાંભળી કે-“વિવેકી પુરુષે સર્વદા સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરવું, અને વૃદ્ધાવસ્થામાં તો વિશેષ પ્રકારે કરવું. કહ્યું છે કે बालेऽस्ति यौवनाशा, स्पृहयति तरुणोऽपि वृद्धभावं च । मृत्यूत्सङ्गगतोऽयं, वृद्धः किमपेक्ष्य निर्धर्मा ।। અર્થ:- મનુષ્ય બાલ્યાવસ્થામાં યુવાવસ્થાની આશાથી ધર્મરહિત હોય છે, યુવાવસ્થામાં પણ વૃદ્ધાવસ્થાને ચાહે છે (એટલે “વૃદ્ધાવસ્થામાં ધર્મ કરીશ” એમ ધારીને યુવાવસ્થામાં પણ ધર્મ કરતો નથી.) પરંતુ મૃત્યુના ઉત્સંગ (ખોળા)માં ગયેલો વૃદ્ધ પુરુષ કોની અપેક્ષા રાખીને ધર્મ કરતો નથી ? અર્થાત્ વૃદ્ધાવસ્થામાં તો અવશ્ય ધર્મમાં જ પ્રવર્તવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy