________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । વાર્ધક તે પુત્રમુદ્ધો, મૂઢો નાહ્મમુલ: ચિત્ ।।ર
અર્થ:- મનુષ્ય બાલ્યાવસ્થામાં માતાને આધીન હોય છે, યુવાવસ્થામાં સ્ત્રીને આધીન હોય છે, અને વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન હોય છે, પરંતુ મૂઢ પ્રાણી કોઈપણ વખત આત્માને આધીન એટલે આત્મપરાયણ હોતો નથી. ૨’
૨૭૫
આ પ્રમાણે દેશના સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણે આચાર્ય પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી વિહારના અનુક્રમે તે ગુરુની સાથે ભૃગુપુરમાં (ભરુચમાં) આવ્યા. તે મુકુંદ મુનિ રાત્રિએ પણ ઊંચા સ્વરે ભણતા હતા, તેથી બીજા સાધુઓની નિદ્રાનો ભંગ થવાથી તેમને દુભાતા જાણીને ગુરુએ તેને નિષેધ કર્યો કે— “હે વત્સ ! રાત્રિએ નવકારવાળી ગણ. રાત્રે ઊંચે સ્વરે ભણવાથી હિંસક પ્રાણીઓ જાગૃત થાય, અને તેથી અનર્થદંડ પણ પ્રાપ્ત થાય.’ આ પ્રમાણે કહ્યાં છતાં પણ તે વૃદ્ધ મુનિ ઊંચે સ્વરે જ ઘોષણા કરતા હતા. ત્યારે કોઈ સાધુએ તેનો ઉપહાસ કર્યો કે “શું આ આટલી વયવાળા (વૃદ્ધ) મુનિ ભણીને મુશળ(સાંબેલા)ને પ્રફુલ્લિત કરશે?' તે સાંભળીને વૃદ્ધ મુનિ ખેદ પામીને તરત જ વિદ્યાને માટે “નાલિકેર વસતિ” નામના ચૈત્યમાં રહેલી મહાપ્રભાવવાળી સરસ્વતી દેવીની આરાધના કરવા લાગ્યા. એકવીશ ઉપવાસે દેવી તુષ્ટમાન થઈ, અને પ્રત્યક્ષ દર્શન આપીને બોલી કે “હે મુનિ ! તમને સર્વ વિદ્યા સિદ્ધ થાઓ.” પછી તે મુનિ કોઈને ઘેરથી મુશળ માગી લાવીને ચતુથ (ચૌટા)માં આવ્યા, પછી મુશળને પ્રાસુક જળ વડે સિંચીને-છાંટીને તત્કાળ નવપલ્લવિત કરી પુષ્પવાળું કર્યું. અને બોલ્યા કે “જે કહેતા હોય કે- આ શું મુશળને પ્રફુલ્લિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org