Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 307
________________ ૨૯૬ જ્ઞાનપદ ભજીએ રે दीयतां दश लक्षाणि, शासनानि चतुर्दश। . हस्तन्यस्तचतुःश्लोक, उतागच्छतु गच्छतु ॥ १ ॥ અર્થ - આ ભિક્ષુકને દશ લાખ સોનામહોરો તથા ચૌદ શાસન (ગામ) આપવામાં આવે છે. હવે હાથમાં ચાર શ્લોકો જેણે રાખેલા છે એવા તે ભિક્ષુ મરજી હોય તો આવે અને મરજી હોય તો જાય.૧ આ શ્લોક સાંભળીને કવી દ્વારપાળ મારફત જ રાજાને જણાવ્યું કે “હે રાજા! આ ભિક્ષુને આપના દર્શનની જ ઈચ્છા છે, દ્રવ્યની ઈચ્છા નથી. તે સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યા, અને તેમને ઓળખ્યા. તેથી સિંહાસન પરથી ઊઠીને બહુમાનપૂર્વક આગ્રહથી તેમને સિંહાસન પર બેસાડી ભક્તિપૂર્વક રાજાએ કહ્યું કે પૃથ્વીને વિષે સૌધર્મેન્દ્ર સમાન હે રાજાકેવળ ધર્મકાર્યમાં વ્યગ્ર હોવાને લીધે જ અમે ઘણે કાળે આવ્યા છીએ. હે રાજન્ ! આ ચાર શ્લોકો સાંભળો. अपूर्वेयं धुनर्विद्या, भवता शिक्षिता कुतः ।। मार्गणौघः समभ्येति, गुणो याति दिगन्तरम् ॥१॥ અર્થ - હે રાજા ! આપ આ અલૌકિક ધનુર્વિદ્યા ક્યાંથી શીખ્યા, કે જેથી માર્ગણનો સમૂહ તમારી પાસે આવે છે અને ગુણ દિશાઓમાં જાય છે ? (તાત્પર્ય એ છે કે - ધનુર્વિદ્યામાં માર્ગણ એટલે બાણનો સમૂહ દિશાઓમાં જવો જોઈએ, અને ગુણ એટલે ધનુષની દોરી (પણચ) પાસે રહેવી જોઈએ. તેથી ઊલટું થવાથી અલૌકિક ધનુર્વિદ્યા કહી. પરમાર્થ એવો છે કે માર્ગણ એટલે ભિક્ષુકનો સમૂહ પાસે આવે છે અને ગુણ-કીર્તિ દિશાઓમાં જાય છે. એવો ગૂઢ અભિપ્રાય છે.) ૧. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322