Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 308
________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૯૭ सरस्वती स्थिता वक्त्रे, लक्ष्मी: करसरोरुहे। कीर्तिः किं कुपिता राजन्, येन देशान्तरं गता ॥ २ ॥ અર્થ - હે રાજા ! સરસ્વતી તમારા મુખમાં રહી છે, અને લક્ષ્મી તમારા હસ્તકમળમાં રહી છે, પરંતુ કીર્તિ કેમ કોપ પામી છે કે જેથી તે દેશાંતરમાં જતી રહી છે. ૨ सर्वदा सर्वदोऽसीति, मिथ्या संस्तूयसे बुधैः । નારો નેમિરે પૃ8, વક્ષ: પરષિત: રૂ II અર્થ – “હે રાજા ! તમે સર્વદા સર્વ વસ્તુ આપનાર છો.” એ પ્રમાણે પંડિતો તમારી સ્તુતિ કરે છે, તે મિથ્યા (ખોટી) છે. કેમકે તમારા શત્રુઓને તમે તમારી પીઠ આપતા નથી, અને પરસ્ત્રીઓને વક્ષસ્થલ આપતા નથી. (તેથી તમે સર્વ વસ્તુના આપનાર કેમ કહેવાઓ? અર્થાત્ યુદ્ધમાં નાસીને તમે પીઠ દેખાડતા નથી અને પરસ્ત્રીઓને આલિંગન કરતા નથી એ તમારામાં મોટો ગુણ છે.)૩ आहते तव निःस्वाने, स्फुटितं रिपुहृद्घटैः। गलिते तत्प्रियानेत्रे, राजश्चित्रमिदं महत् ।। ४ ॥ અર્થ – “હે રાજા ! યુદ્ધમાં તમારો ડંકો હણાવાથી (વાગવાથી) શત્રુનાં હૃદયરૂપી ઘડાઓ ફૂટી જાય છે, અને તેમની સ્ત્રીઓના નેત્રમાંથી પાણી નીકળે છે, એ મોટું આશ્ચર્ય છે.(અર્થાત્ ડંકો ફૂટવો જોઇએ, અને જે વસ્તુ ફૂટે તેમાંથી જ પાણી નીકળવું જોઈએ છતાં અહીં તો તેથી ઊલટું થાય છે તે આશ્ચર્ય છે.) આ પ્રમાણે અભુત ચાર શ્લોકો સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા વિક્રમ રાજાએ ઊંચા કિંમતી વસ્ત્રોથી ભરેલો ૧, સુગંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322