Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 303
________________ ૨૯૨ જ્ઞાનપદ ભજીએ રે અને ઘણો વિલાપ કરી ક્ષિપ્રા નદીને કાંઠે તેનું ઔધ્ધદહિક કર્મ (અગ્નિસંસ્કાર) કર્યું. ત્યાર પછી વૈરાગ્ય રસથી ભરેલી ભદ્રાએ એક ગર્ભિણી વહુને ઘરમાં રાખી બીજી એકત્રીશ વહુઓ સહિત દીક્ષા લીધી. ઘેર રહેલી ગર્ભિણી વહુએ પુત્ર પ્રસવ્યો. તે પુત્રે તેના પિતા અવંતિસુકુમાલના કાળધર્મની જગ્યાએ આ પ્રાસાદ કરાવ્યો. પોતાના પિતાનો અહીં મહાકાળ (મૃત્યુ) થયો, તેથી આ પ્રાસાદનું નામ મહાકાલ પાડ્યું, અને તેમાં મોટા ઉત્સવપૂર્વક શ્રી પાર્શ્વનાથ પરમાત્માની વિધિપૂર્વક પૂજા થતી રહી. પછી કાળક્રમે મહાદેવતાના ભક્ત બ્રાહ્મણોએ અવસર પામીને તે પ્રતિમાને પૃથ્વીમાં ગુપ્ત કરી, (ભંડારી દઈ) અકાર્ય કરવામાં તત્પર થઈ અહીં મહાદેવનું લિંગ સ્થાપન કર્યું. હમણાં મારી કરેલી સ્તુતિ સાંભળીને સાવધાન થયેલા અધિષ્ઠાયકના સાનિધ્યબળથી આ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શિવલિંગ ભેદીને પ્રગટ થઈ. તે વિક્રમ રાજા ! હવે સત્યાસત્યનું નિરૂપણ તમે પોતે જ કરો.” આ પ્રમાણે સુંદર અને મધુર વાણી સાંભળીને વિક્રમ રાજાને શુભ પરિણામ થવાથી શ્રી જૈનમતને વિષે અત્યંત બહુમાન ઉત્પન્ન થયું, તેથી તેણે પ્રસન્ન થઈને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પૂજન માટે સો ગામ આપ્યાં. તથા તેણે યોગીની (સૂરિની) અત્યંત શ્લાઘા કરતાં કહ્યું કે “અહો ! આપની જેવા મહર્ષિ પૃથ્વી પર કોણ છે?” अहयो वहवः सन्ति, भेकभक्षणदक्षिणाः ।। : સાવ : , ત્રિવિરાક્ષ: / I અર્થ– દેડકાંઓનું ભક્ષણ કરવામાં ચતુર એવા સર્પો તો દુનિયામાં ઘણા છે, પરંતુ પૃથ્વીને ધારણ કરવામાં તો એક શેષનાગ જ સમર્થ છે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322