Book Title: Gyanpad Bhaije Re
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 300
________________ શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત ૨૮૯ અને મહાન અર્થવાળી બત્રીશ બત્રીશી વડે પ્રથમ સ્તુતિ કરી. પછી અધિષ્ઠાયક દેવનું સમીપપણું હોવાથી આ દુષમા સમયમાં પણ અનુપમ પ્રભાવવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચુમ્માલીશ શ્લોકવાળા કલ્યાણમંદિર સ્તોત્ર વડે સ્તુતિ કરવા માંડી. તે કલ્યાણ મંદિરનું અગ્યારમું વૃત્ત બોલતી વખતે અથવા કોઈ ગ્રંથના અભિપ્રાયે પહેલી બત્રીશીના પહેલા કાવ્યના ઉચ્ચાર વખતે જ શ્રી ધરણેદ્રનું સાનિધ્ય હોવાથી પ્રથમ શિવલિંગમાંથી ધુમાડો નીકળવા માંડ્યો. ત્યાર પછી અગ્નિની મોટી જ્વાળા નીકળવા માંડી, તે સમયે સર્વે લોકો પરસ્પર હાથની તાળીઓ પૂર્વક કોલાહલ કરતા બોલ્યા કે - “ખરેખર અત્યંત કોપરૂપી કાલાગ્નિથી ભયંકર એવા આ મહાદેવ પોતાના ત્રીજા નેત્રના અગ્નિ વડે આ જોગીને ભસ્મસાત્ કરી નાંખશે.” ત્યારપછી તડતડ શબ્દ કરતું શિવલિંગ ફાટયું, અને તેમાંથી વીજળીના જબકારાની જેમ પ્રથમ જ્યોતિ (તેજ) પ્રગટ થઈ, અને પછી અનુપમ એવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. તે જોઈ વિસ્મય પામેલા વિક્રમ રાજાએ પૂછ્યું કે- “હે મહાભાગ્યવાન ! કોઈ વખત નહીં જોયેલું એવું આ આશ્ચર્ય શું ? આ અપૂર્વ કયા દેવ પ્રગટ થયા ?’ ત્યારે ગુરુ બોલ્યા કે- “ત્રણ જગતને સેવવા લાયક, દેવના પણ દેવ, શ્રી ધરણેન્દ્ર જેની ઉપર અદ્ભુત ફણારૂપ છત્રનો આડંબર કર્યો છે, એવા ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા છે. આ દેવાધિદેવ જ મારી સ્તુતિ વિગેરેને સહન કરી શકે છે. આ પ્રતિમાનો અહીંથી પ્રાદુર્ભાવ શી રીતે થયો? તે વૃત્તાંત સાંભળો. પૂર્વે આ જ અવંતી નગરીમાં એક “ભદ્ર” નામની શેઠાણી રહેતી હતી. તેને “અવંતીસુકુમાલ” નામે પુત્ર હતો. તે બત્રીશ પત્નીઓના યૌવનરૂપ સુગંધના સર્વસ્વનું આસ્વાદન કરવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322