Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 349
________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो ૨૮૬ શીલાદિત્યદેવ પ મ આ વંશને જાણવામાં આવેલો અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શીલાદિત્યેની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાપે, એવી જે જૈનની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે. ડહકમાં વસતા ડાતલને પુત્ર સંભુલ્લ નામને અને પારાશર ગેત્રનો એક અથર્વવેદી બ્રાહ્મણ દાન મેળવનાર છે. તેને તથાસ્તુર્વિધ એટલે “તે શહેર)ની ચતુર્વેદીઓની જ્ઞાતિને અંગ” કહ્યો છે. ત્રણ નામ સંસ્કૃત નથી પણ દેશી શબ્દો જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીઓનું એક હાનું થાણું છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કોઈ પૂર્વજ હોય. વખાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા( વિષય)માં આવેલું બહુબટક ગામ દાનમાં આપ્યું છેઃ દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું ખર્ચ પૂરું પાડવા માટે છે. તારીખ “સંવત્ ૪૪૧ ના કાર્તિક સુદ ૫” અથવા “સંવત્ ૪૪૧ ના કાર્તિકના શુકલ પક્ષ અને દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદન ચેકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થાનાં ગાંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતો અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતું આવે છે. પણ ૧, હોય એવું જણાતો એક આડો લીટે, ત્યાર પછી આવતા હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેનું અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિહને વધારે મળતે આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટે વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીનો ભાગ હોય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે. ૧ ફારબસ, રાસમાલા . ૧ ૫. ૨૪૫ માં સૂર્યાપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદર કહે છે અને ધારે છે કે તે કદાચ સુરત હોય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396