Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 365
________________ शीलादित्य ७ माना ताम्रपत्रो २९७ ભાષાન્તર ! વસ્તિ ! વિખ્યાત આનન્દપુરમાં વિજયી નિવાસસ્થાનથી'-મૈત્રકોની અતુલબળવાળી મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસંપન્ન, શત્રુઓને બળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરકત મૌલ ભૂત શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતપિતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ઈનાંખ્યાં હતાં, જેને બાળપણથી તલવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજશત્રુઓના સમદ માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુરંજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુક્રમે સ્મર, ઇન્દુ, અદ્વિરાજ (હિમાલય), સાગર, દેના ગુરૂ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યોનાં ફળ તૃણવત લેખતે જે વિદ્વાને, મિત્રો અને પ્રજિનેનાં હૃદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજતે, (અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રી ગુહસેન હતે. ( લીટી. ૭) તેનો પુત્ર. જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રહિમના પ્રસારથી બનેલી જાહ્નવી નદીના જળના પ્રવાહથી જોવાઈ ગયાં હતાં, જેની લક્ષમી લક્ષ પ્રણથિ જનેનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણેએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંબન કર્યું છે, જે સર્વ ધનુધરેને નૈસર્ગિક બળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતે, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષત, જે નિજપ્રજાનાં દુઃખ હરતે, જે શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન હતું, જેને પ્રતાપ નિજ શત્રુગણુની લહમીના ઉપગમાં દક્ષ હતા, (અને ) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધરસેન(૨) હતો. (લી. ૧૦) તેને પુત્ર, અને પાદાનુધ્યાત, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુણેથી સર્વ દિમંડળ વ્યાપી દીધું હતું, જે અનેક યુદ્ધમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહા મનેરને ભાર ધારત, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગમાં પારંગત હોવાથી શુદ્ધ હોવા છતાં કિંચિત સુભાષિતથી સહેલાઈથી તુષ્ટ થતી, જેના હદયનું ગાંભીર્થ જથી અગાધ હતું છતાં અનેક સુકૃતથી સ્પણ થતા પરમ કલ્યાણ સ્વભાવવાળે હતા, અને જેણે કૃતયુગના નૃપના ( સદાચારને) પૂરાઈ ગએલે પંથ શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો હતે તે પરમ માહેશવર શ્રી શીલાદિત્ય (૧) હતા. (લી. ૧૪ )તેને અનુજ અને પાદાનુધ્યાત, તે(ઈન્દ્ર) ઉપેન્દ્ર ને વડીલ બધુ હોય તેમ તેના વડીલ બન્ધથી અભિલાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારત તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે ધુરી ધારતે ત્યારે શ્રમ કે આનન્દના ઉપભેગથી ક્ષીણ ન થાય તેવી સંપદ સંપન્ન જેનું પાદપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જન તરફ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત સ્વભાવવાળે હતું, જેના શત્રુઓને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતા, જેના વિશુદ્ધ ગુણને સંચય સકલ જગતને આનન્દ આપતે, જેણે કલિયુગના સર્વ માર્ગને બળથી નાશ કર્યો હતો, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસે ૧ આનો સંબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય ૭ મો બધા લેકને હુકમ કરે છે તેની સાથે છે. ૨ ઇન્દ્રને નાનો ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતને આમાં ઉલ્લેખ છે. ( વિષ્ણુપુરાણ વિ. ૫. પ્ર. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખગ્રહ ૧ લાને કંઈ કલેશ થયે હશે અને તેમાં શીલાદિત્યે પોતાના નાના ભાઈના લાભમાં જતું કર્યું હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396