Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 367
________________ २९९ शीलादित्य ७ मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતું, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દુની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તનાગ્ર સમાન શિખરવાળા સહ્ય અને વિધ્ય રૂપે રમ્ય પધરવાળી ભૂમિને પતિ હતો તે શ્રી દેરભટને પુત્ર જેણે સર્વ નૃપમંડળમાંથી તેઓના યશથી રાજતાં સુંદર વસ્ત્રો જે તે તેને અર્પતી હતી તે (વ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજ્યશ્રીને લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૌર્ય ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં શર બળથી પૂર્ણ ખેંચેલાં હતાં તેનાથી જેની શાન્તિને નાશ થયા હતા તે શત્રુઓના પ્રદેશમાંથી યોગ્ય રીતે કર લે, જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજજવળ કૃતિના અતિશયપણાથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રનથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા | નવા અંકર જેમ પ્રકાશતાં કંકણ અને સુંદર જંતની પાંખોથી અને રત્નનાં કિરણોથી આવૃત કર ઉંચે કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારા સમાન ભાસતા કરથી અખિલ ભૂમિને આલિંગન કરતા તે પરમ માહેશ્વર શ્રીધ્રુવસેન (૩) હતા. (લી. ૩૯) તેને વડીલ બન્યું, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષ્મી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાના નિશ્ચયથી આલિગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતાપ કાર્યોમાં અધિકતાવાળે હતું, જેનાં પાદપ તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રશ્મિથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દણ્ડથી શત્રુગણને મદ હતો, જે દૂર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને બાળતે, જે નિજ સર્વ સંપદ પ્રણયિ જનેને આપતે, જેની પાસે તે ઉપાડતો તે ગદા હતી અને તે ફેંતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કારૌં નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિના પ્રાપ્તિ કરી હતી, જે મૂખે જનાના અંગીકાર કરતા નહી, જે અપૂવ જાતિમાં શ્રેષ્ઠ જને મને એક હતે; જે સાક્ષાત ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમ યોગ્ય રીતે ક્ય, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ વેત ધ્વજનું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી સંચય કરતાં અને પછી અલ્પ લેભને લઈને પૂર્વેના નૃપાએ જપ્ત કરેલાં દાનમાં (ભાવિ ઉપભેગમાં) અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલાં ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજવળ કર્યું હતું, અને જે દેવ, દ્વિ અને ગુરૂઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનસાર સતત ઉગ આદિ અન્ય હકક સહિત ઉદાર દાનથી ? સતિષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતો તે પરમ માહેશ્વર શ્રીપરગ્રહ (૨) હતે. ( લી. ૪૭) તેના વડીલ બન્યુ, શ્રી શીલાદિત્ય (૨)જેણે સર્વ ભૂમિને કુમુદનું સૌંદર્ય ખીલવનાર પૂર્ણ ઈદુના પ્રકાશ સમાન નિજ યશથી કરી; (અને ) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વત રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતો, તેને જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતે, જે પર્વતના વનને આભૂષિત કરતા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજ્યશ્રીને આભૂષિત કરતો, જે મયુર દવજવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતું, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળે હતે જે (કમળને વિકસાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણ વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજેને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકો પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુધ્યાત પરમ માહેશ્વર પરમ ભટ્રારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396