Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 385
________________ चालुक्य विजयराजनां खेडानां ताम्रपत्रो ભાષાન્તરમાંથી અમુક ભાગ સ્વસ્તિ વિજયપુર મુકામેથી— હારીતિના વંશને, માનવ્ય ગોત્રના અને સ્વામી મહાસેનને પાદનું ધ્યાન ઘરનારા ચાલુ ના વશમાં– જે વંશ મોટા સમુદ્ર જેવ, શરદસમયમાં પ્રસન્ન ગગનતલ જે વિમલ, અનેક નરરત્નના ગુણેથી દેદીપ્યમાન, મહાસના આશ્રય રૂપ હેઈને જે દુર્તધ્ય ગાંભીર્યવાન સ્થિતિનું પાલન કરવામાં તત્પર એવા હતા તેમાં શ્રીજયસિહ હતા . . . . . . તેને દીકરે શ્રી બુદ્ધવર્મન .. . . . . . હતા. તેને દીકરે શ્રી વિજયરાજ . . . . . . . . . .. દેશના બધા મહત્તોને તેમ જ અધિકારીને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે વિશાખની પૂર્ણિમાને દિવસે માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે કાશાકૂલ પરગણામાં પ્રથમ સઘિયર નામે ઓળખાતું અને હાલનું પરિચય ગામ દાનમાં આપવામાં આવ્યું છે. તે દાન વાજસનેય શાખાના અને કાવ ગોત્રના જંબુસરના અધ્વર્યુ અને બ્રહ્મચારીઓને આપવામાં આવેલ છે. (૫. ૧૩-૨૪) જૂદી જૂદી વ્યક્તિઓને આપેલ દાનની વિગત આપેલ છે. બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિઓ માટે સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ પર્યત ટકે તેવી રીતે દાન આપવામાં આવેલ છે અને હવે પછીના રાજાઓએ તે દાનને અનુમતિ આપવી અને પાલન કરવું. ત્યાર બાદ દાનને લેપ કરવામાં જે પાપ છે તેને ખ્યાલ આપનારા લોકો છે. આ દાનને દૂતક નન્નવાસપક હતા અને લેખક ખુદ્દસ્વામી હતા. દાન ૨૯૪ મા વર્ષમાં વૈશાખ પૂર્ણિમાને દિવસે આપવામાં આવેલ છે. ક્ષત્રિય માતૃસિહે કેતર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396