________________
આપણે સૌ ધ્યાનમાર્ગની પાત્રતા પ્રાપ્ત કરી શકીએ, તે માટે ધર્મધ્યાનના પ્રકારોને જાણવા અને ઉપાસવા.
મતિ, શ્રુતિ, અવધિ, મના, કેવલ દેહ પર એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪
બહુલોક જ્ઞાનગુણે રહિત, આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ ક્ર તું નિયત આ, જો કર્મ મોક્ષેચ્છા તને. ૨૦૫
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.” ૨૦૬
- શ્રીસમયસાર-પદ્યાનુવાદ નિર્જરા અધિકાર. જૈનદર્શનમાં ધ્યાન સર્વોપરી સાધન મનાયું છે. કર્મક્ષયનું અંતિમ સાધન છે. જ્ઞાનનું ફળ જેમ વિરતિ છે તેમ જ્ઞાન અને ધ્યાન બંને સહોદર છે. ધ્યાનમાર્ગની સાધના વગર કોઈ આત્મા મુક્ત થયો નથી. ધ્યાન એ સહજ અવસ્થા છે. સાધકે પ્રથમ તેમાં પ્રીતિ જોડવી પડે છે. તે ભલે અભ્યાસરૂપ હોય, પણ તે દ્વારા જ ધ્યેયસિદ્ધિ છે.
મોક્ષ કર્મક્ષયાદેવ, સમ્યગજ્ઞાનયોઃ ભવેત્ | ધ્યાનસાધ્ય મતંતદ્ધિ, તમારંહિતમાત્મનઃ |
- શ્રી કેસરસૂરીજી રચિત ધ્યાનદીપિકા મોક્ષ કર્મક્ષયથી થાય છે, કર્મક્ષય સમ્યગુજ્ઞાનથી થાય છે, અને સમ્યગુજ્ઞાન ધ્યાનથી સાધ્ય થાય છે. એમ જ્ઞાનીઓએ માન્યું છે માટે આત્માને ધ્યાન હિતકારી છે.
રાગદ્વેષનો ત્યાગ કરી સમતામાં આવવું તે ધ્યાનનો પ્રકાર છે. અંતમુહૂર્ત સુધી એક વિષયમાં એકાગ્રતા તે છઘસ્થોનું ધ્યાન છે અને યોગના નિરોધરૂપ ધ્યાન તે જિનોનું ધ્યાન છે.
છાસ્થને ધ્યાનરૂપ એકાગ્રતાના વિષયો આત્મસ્વરૂપને અવલંબતા હોવા જરૂરી છે. તે વિષયો સાધક જેમ જેમ આગળ વધે તેમ સૂક્ષ્મ બનતા જાય છે. તે ધર્મધ્યનના પ્રકારમાં બતાવ્યા છે. તે આ પ્રકારે ગ્રહણ થઈ શકે.
મૈત્રી-સર્વ જીવ પ્રત્યે નિર્વેર બુદ્ધિ વિષે ગહન ભાવના કરવી. પ્રમોદ-ગુણવાનના ગુણ ગ્રહણ કરવાની ઉદાત્ત ભાવના ભાવવી.
૫૧