Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 204
________________ માટે સૌપ્રથમ નજીક શરીર છે તેથી શરીરની ક્રિયાઓને નિર્વિકારપણે જોવી. પરિણામને ફેરવવાં. (૨) પદસ્થ-ધ્યાન : પવિત્ર મંત્રોનું અથવા આગમના પદોનું, જે બુદ્ધિમાનો વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાનો પદસ્થ ધ્યાન કહે છે. વળી મંત્રોનું તથા પરમેષ્ઠી ઈત્યાદિ પદના સમૂહનું ચિંતન કરવું. પદ એટલે અધિકાર. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પદ તે પદવીધરોનું ધ્યાન કરવું તે પદસ્થ સ્થાન છે. તેમનાં નામનું સ્મરણ, નામસૂચક અક્ષરનું સ્મરણ વગેરે પદસ્થ ધ્યાન છે. વધુ માર્ગદર્શન માટે ગ્રંથનો અભ્યાસ કરવો. (૩) રૂપસ્થ-ધ્યાન : | સર્વ અતિશયોથી યુક્ત કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ રાગદ્વેષ-મોહના વિકારો વડે નહિ કલંક્તિ એવા શાંત શોભનીય વગેરે સર્વ લક્ષણોથી યુક્ત અરિહંતના રૂપનું આલંબન-ધ્યાન તે રૂપસ્થ-ધ્યાન છે. - વિદ્યમાન તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના ન થઈ શકે તો તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. પ્રતિમા સામે ખુલ્લી દૃષ્ટિથી જોયા કરવું. તેમના સ્વરૂપ સાથે એકાકાર થવું અને તેમ થતાં પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરવો. આલંબન સાધનરૂપ છે. (૪) રૂપાતીત-ધ્યાન : લોકના અગ્ર ભાગ ઉપર રહેલો અમૂર્તિ, ક્લેશ રહિત, ચિદાનંદમય સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. આ ધ્યાન વડે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. જન્મમરણનો ક્ષય થાય છે. સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી તેમાં પોતાના અંતઃકરણને સ્થાપવું. વધારે વખત પરિણમી રહેવું અને બીજા કોઈ આકારે મન પરિણામાંતર ન પામે તેવી સ્થિતિને ધ્યાન કહે છે. રૂપી પદાર્થ કરતાં રૂપાતીત ધ્યાન કઠિન છે. રૂપી પદાર્થની નિરંતર ટેવ પડયા પછી મન બીજામાં પરિણામ ન પામે તેની સાવધાની રાખવી. રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરૂપ વગેરે ગુણોનું અંતઃકરણમાં સ્થાપન ૧૮૫

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236