Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 215
________________ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીવિરચિતા યોગદૃષ્ટિસમુચ્ચયમાંથી ઉદ્ધત યોગસાધના વિષયક કોઠો કોષ્ટક યોગદૃષ્ટિ યોગઅંગ દોષત્યાગ ગુણપ્રાપ્તિ બોધની ઉપમા ગુણસ્થાન ૧. મિત્રા યમ ખેદ અદ્વેષ તૃણઅગ્નિકણ મિથ્યાત્વ ૨. તારા નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા ગોમયઅગ્નિકણ મિથ્યાત્વ ૩. બલા આસન ક્ષેપ શુશ્રુષા કાષ્ટઅગ્નિકણ મિથ્યાત્વ ૪. દીપ્રા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપપ્રભા મિથ્યાત્વ ૫. સ્થિરા પ્રત્યાહાર ભ્રાંતિ બોધ રત્નપ્રભા સમ્યકત્વ ૬. કાંતા ધારણા અન્યમુદ્ મીમાંસા તારાપ્રભા સમ્યકત્વ ૭. પ્રભા ધ્યાન ગ (રોગ) પ્રતિપતિ સૂર્યપ્રભા સમ્યકત્વ ૮. પરા સમાધિ આસંગ પ્રવૃત્તિ ચંદ્રપ્રભા સમ્યક્ત્વ સૂરિપૂરંદર શ્રીહરિભદ્રસૂરિજીએ તે કાળે જ્યારે યોગમાર્ગ ભૂલાવા માંડયો હતો ત્યારે ખૂબ વિશદતા અને અદ્ભત રહસ્યોને ખોલીને યોગમાર્ગને વિવિધ ગ્રંથો દ્વારા પ્રગટ કર્યો છે તેના વિષયનો માત્ર આ ઉતારો છે. અભ્યાસ રસિક જીવોને આરાધના માટે પ્રેરક છે. આઠ યોગદષ્ટિ, આઠ યોગઅંગ, આઠ દોષત્યાગ ને આઠ ગુણપ્રાપ્તિનો અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દૃષ્ટિમાં પહેલું યોગઅંગ, પહેલા ચિત્તદોષનો ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવતુ આઠેનું સમજવું. આમ આ ચોભંગી ઘટે છે. ચાર દૃષ્ટિ સુધી મિથ્યાત્વ હોવા છતાં અહીં યમ આદિ, યોગના અંગરૂપ છે તેથી તેને “યોગ” કહ્યા છે જે અંતમાં સાધકને મોક્ષ માર્ગમાં જોડી આપે છે. વિશેષ અભ્યાસ ગ્રંથ દ્વારા કરવો. ૧૯૬

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236