Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 207
________________ અપેક્ષિત છે; ને એ દશા તો ઠેઠ તેરમા ગુણસ્થાનકે આવે છે. ક્ષાયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સાધકની જ્ઞાનધારા શુદ્ધ વહે છે. ચૈતન્ય સાથેનું તેનું અનુસંધાન અખંડ બને છે, અંતરથી નિરાસક્ત રહી તે સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. કિંતુ જૈન સાધના પ્રણાલિ અનુસાર સાધનાનું તે અંતિમ ચરણ નથી. આવી વ્યક્તિ અંતરમાં આસક્તિરહિત હોવા છતાં તેનું બાહ્યાચરણ પૂર્વસંસ્કાર કે ચારિત્ર મોહનીયાદિ કર્મના આવરણના કારણે ઘણી વાર આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે. અર્થાતુ અંતર અનાસક્ત હોવા છત્તાં તેની પ્રવૃત્તિમાં-યોગધારામાં થોડી ઘણી અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશવિરતિ કે સર્વવિરતિની તપ-ત્યાગમય સાધના પૂર્ણયોગેશ્વર શ્રી જિનેશ્વરદેવોએ ચીંધી છે, એ સાધના દ્વારા યોગ પ્રવૃત્તિની અને જ્ઞાનની બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ રહ્યું છે. માત્ર એક વારના ક્ષણિક અપરોક્ષ દર્શનથી જીવનમુક્ત થઈ જવાતું નથી એ વાત યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પણ કરી છે. યોગસૂત્ર'ના વિવેચનકારોએ વાતને સ્પષ્ટ કરી છે. સાધકને જ્યારે સાક્ષાત્કાર થાય કે દશ્યથી ચિત્ત જુદું છે અને ચિત્તથી પુરુષ અર્થાત્ પોતે જુદો છે, ત્યારે ભયશોકાદિની નિવૃત્તિ થાય છે. તે સાધક કૈવલ્યને અભિમુખ થાય છે, પણ તે જ ક્ષણે તેને કેવલ્યની ઉપલબ્ધિ થઈ જતી નથી; એ વિવેકસાક્ષાત્કારમાં વચ્ચે વચ્ચે પૂર્વસંસ્કારવત્ વૃત્તિઓનું વ્યસ્થાનસ્કુરણ થાય છે. તે સંસ્કારોનો, અભ્યાસથી સમૂળગો નાશ થાય છે ત્યારે વૃત્તિઓ હુરતી નથી. તેથી ઉત્પન્ન માત્ર વિવેકસાક્ષાત્કારવાળા યોગીએ પણ વ્યુત્થાન સંસ્કારોનો નાશ કરવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સમ્યગ્દર્શનનો આધાર અનુભવ : તત્ત્વાઈશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ આગમ ઉપરાંત યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ બૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ અને શ્રદ્ધાનો અહીં સમાવેશ થાય છે, પરંતુ શ્રદ્ધા અને પ્રતીતિ પૂરતાં નથી. તે થયા પછી આત્મા અને દેહના ભેદની અનુભૂતિ થતાં “સમ્યગદર્શન થયું ગણાય. તે પહેલાં સમ્યક શ્રદ્ધા હોય છે, તેનો આધાર આપવચન અને બૌદ્ધિક ૧૮૮

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236