Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 185
________________ પ્રક્રિયા છે. તે સર્વથા અક્રિય અવસ્થા સુધી પહોંચવા માટેની ક્રિયા એ જ કાયોત્સર્ગ ધ્યાન અને કાયોત્સર્ગનો સંક્ષિપ્ત સાર મુક્તિ સુધી પહોંચાડનાર આ ધ્યાન અને કાયોત્સર્ગની ભૂમિકાનો પ્રારંભ પૂ. આચાર્યશ્રીએ સાધના ત્રિપદીથી કર્યો છે. (૧) શરણ સ્વીકાર (૨) દુષ્કતગહ (૩) સુકૃત અનુમોદના. આ સાધના ત્રિપદી બાધકરૂપ એવા સાધકના અહંકારને શિથિલ કરશે. ગુણ પોતામાં દોષ અન્યમાં જોવાનો અહંકાર ઉલટો બનશે ગુણો અન્યમાં દોષો પોતામાં. અહીં શરણાગતિનું બળ છે. પરમાત્માને શરણે જવું, દોષોથી મુક્ત થવું ગુણોનો સ્વીકાર થવો, કેવો મજાનો માર્ગ. અહં વિલયની આ ધારા પર સાધકને લઈ જાય છે તે ધ્યાન અને કાયોત્સર્ગ. એનું રહસ્ય એવું ઉંડુ છે કે તેની પ્રાથમિક ભૂમિકામાં સાધના ત્રિપદી આપ્યા પછી હવે પંચાચારમયી સાધના સમજાવે છે. તેમાં તપની વિશેષતા જણાવતા કહે છે કે “તપ એટલે નિજ ગુણભોગ” અત્યંતર તપને બાહ્યતપ પુષ્ટ કરે છે. અત્યંતર તપની ત્રિપદીમાં ત્રણ તત્ત્વો છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સ્વાધ્યાય પોતાનો વાસ્તવિક પરિચય આપે તે સ્વાધ્યાય. ચપટી સુખ માટે વલખા મારતા માનવીને સ્વાધ્યાય કહે છે કે ભાઈ સ્વાધ્યાય આનંદથી સભર વ્યક્તિત્વ છે. આવી આનંદઘનતાની દિશામાં ડગ માંડવા તે ધ્યાન અને બહિર્ભાવને સંપૂર્ણતયા દૂર કરી પોતાની ભીતર ઉતરી જવું તે કાયોત્સર્ગ ૨. પ્રભુએ આપેલી સાધના પંચાચારમયી છે, તે જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્યના આચારો વડે સમૃદ્ધ બનેલી છે આ ભાગવતી સાધના આત્મચરણ એજ ચારિત્ર તેજ જ્ઞાન અને તેજ દર્શન. તપ એહિ જ આત્મા વરતે નિજગુણ ભોગરે.” નવપદ પૂજા, ઉપા. શ્રી યશોવિજયજી. mયોમાં અટવાયેલો ઉપયોગ જ્ઞાતા ભણી ફંટાય તે જ્ઞાતાભાવ. યો, પદાર્થો, વ્યક્તિઓ, જણાય ત્યારે ન હર્ષ, ન પીડા, માત્ર ૧૬૬

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236