Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 170
________________ આત્માના પરિણામોમાં એવા પ્રકારની સ્થિરતા આવે છે કે જેને લઈને આત્મા સાથે ઘનીભૂત થઈને ચોંટેલા કર્મો ઢીલા પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. ૐ અર્હ આદિ મંત્રો ઉપર રહેલા બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં સહાયક બને છે. (તેથી તેને પણ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય.) બિન્દુ-ધ્યાનના દીર્ઘકાળના અભ્યાસથી આત્મવિશુદ્ધિ વધતાં પરમ બિન્દુ ધ્યાનનો પ્રારંભ થાય છે. શ્રી જિનાગમોમાં બતાવેલી સમ્યકત્વ આદિ નવ ગુણશ્રેણિઓમાં થતા આત્મધ્યાનને પરમ બિન્દુ ધ્યાન” કહેલું છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણી વૃદ્ધિ પામતી હોય છે. તેથી કર્મ દલિકોની નિર્જરા પણ ઉત્તરોત્તર-અસંખ્યગુણી થતી હોય છે. નાદ-પરમનાદ : બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિની જેમ જ “આંતરધ્વનિ સંભળાય છે, તેને નાદ કહે છે. આ નાદ ધ્યાનના અભ્યાસથી જુદા જુદા વાગતા વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન પ્રકારના વ્યક્ત ધ્વનિ સંભળાય તેને “પરમનાદ' કહે છે. આ બંને ધ્યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. (૧૩-૧૪) તારા-પરમ તારા ઃ કાયોત્સર્ગ-ધ્યાનમાં રહેલા સાધકની સ્થિર નિશ્ચલ દષ્ટિને “તારા ધ્યાન' કહે છે. આ તારા ધ્યાનના સતત અધ્યાસના પરિણામે અનુક્રમે “પરમ તારા ધ્યાન” સિદ્ધ થાય છે, તેમાં એક જ શુષ્ક પુગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. જેમકે કથંચિત ભગવાન મહાવીરે માટીના ઢેફા ઉપર ધ્યાન કર્યું હતું. (૧૫-૧૬) લય-પરમ લય ઃ વજલેપના યોગથી વસ્તુ પણ વજતુલ્ય બની લાખો વર્ષ સુધી ટકે છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, તે પરમાત્મ-સ્વરૂપમાં લીન બની જાય છે. તેને “લય ધ્યાન ૧૫૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236