________________
આત્માના પરિણામોમાં એવા પ્રકારની સ્થિરતા આવે છે કે જેને લઈને આત્મા સાથે ઘનીભૂત થઈને ચોંટેલા કર્મો ઢીલા પડવાથી પાકેલા ફળની જેમ ખરી પડે છે. ૐ અર્હ આદિ મંત્રો ઉપર રહેલા બિન્દુનું ધ્યાન પણ પ્રસ્તુત બિન્દુ-ધ્યાનમાં સહાયક બને છે. (તેથી તેને પણ ઉપચારથી બિન્દુ-ધ્યાન કહી શકાય.) બિન્દુ-ધ્યાનના દીર્ઘકાળના અભ્યાસથી આત્મવિશુદ્ધિ વધતાં પરમ બિન્દુ ધ્યાનનો પ્રારંભ થાય છે. શ્રી જિનાગમોમાં બતાવેલી સમ્યકત્વ આદિ નવ ગુણશ્રેણિઓમાં થતા આત્મધ્યાનને પરમ બિન્દુ ધ્યાન” કહેલું છે. આ ધ્યાનમાં સાધક આત્માની વિશુદ્ધિ ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણી વૃદ્ધિ પામતી હોય છે. તેથી કર્મ દલિકોની નિર્જરા પણ ઉત્તરોત્તર-અસંખ્યગુણી થતી હોય છે. નાદ-પરમનાદ : બિન્દુ આદિ ધ્યાનમાં સાધકને પ્રાથમિક કક્ષાએ વાજિંત્રના ધ્વનિની જેમ જ “આંતરધ્વનિ સંભળાય છે, તેને નાદ કહે છે. આ નાદ ધ્યાનના અભ્યાસથી જુદા જુદા વાગતા વાજિંત્રોના અવાજની જેમ વિભિન્ન પ્રકારના વ્યક્ત ધ્વનિ સંભળાય તેને “પરમનાદ' કહે છે. આ બંને
ધ્યાન પ્રાણશક્તિની સ્થિરતા દર્શાવે છે. (૧૩-૧૪) તારા-પરમ તારા ઃ કાયોત્સર્ગ-ધ્યાનમાં રહેલા સાધકની
સ્થિર નિશ્ચલ દષ્ટિને “તારા ધ્યાન' કહે છે. આ તારા ધ્યાનના સતત અધ્યાસના પરિણામે અનુક્રમે “પરમ તારા ધ્યાન” સિદ્ધ થાય છે, તેમાં એક જ શુષ્ક પુગલ ઉપર અનિમેષ દૃષ્ટિ રાખવાની હોય છે. જેમકે કથંચિત ભગવાન
મહાવીરે માટીના ઢેફા ઉપર ધ્યાન કર્યું હતું. (૧૫-૧૬) લય-પરમ લય ઃ વજલેપના યોગથી વસ્તુ પણ વજતુલ્ય
બની લાખો વર્ષ સુધી ટકે છે. તેવી રીતે સાધકનો અરિહંત પરમાત્મા આદિ પ્રત્યે શરણાગત ભાવ તીવ્ર બનતાં, તે પરમાત્મ-સ્વરૂપમાં લીન બની જાય છે. તેને “લય ધ્યાન
૧૫૧