________________
કહે છે. શરણાગતના ચિત્તનું શરણ્ય-પરમાત્મામાં અત્યંત લીન બની જવું, તે લય ધ્યાન છે. લય ધ્યાનના પ્રભાવે જ્યારે આત્મા, આત્મામાં જ આત્માનું દર્શન કરે છે, તે
પરમ લય ધ્યાન” કહેવાય છે. (૧૭-૧૮) લવ-પરમલવઃ જે શુભ ધ્યાન અને સંયમ આદિ અનુષ્ઠાન
વડે કર્મોનું લવન (કપાવું) તે “લવ ધ્યાન” છે તથા ઉપશમ શ્રેણિ અને ક્ષેપક શ્રેણિમાં જે જથ્થાબંધ કર્મોનો ઉપશમ કે
મૂળથી ક્ષય થાય છે, તેને પરમલવ ધ્યાન” કહેવાય છે. (૧૯-૨૦) મામા-પરમ માત્રા : અષ્ટ મહાપ્રાતિહાર્યયુકત,
સમવસરણમાં સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજીને ધર્મદેશના આપતા શ્રી તીર્થંકર પરમાત્મા તુલ્ય પોતાના આત્માને જોવો ધ્યાવવો, એ “માત્રા ધ્યાન” છે. આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થકર બને છે. ધ્યાતા જ્યારે તેનું ધ્યાન કરે છે, ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે ધ્યાન સમાપત્તિરૂપ બને છે. તીર્થકર નામકર્મની વિકાચના કરવામાં આ સમાપત્તિ મુખ્ય હેતુ બને છે. તેથી માત્રા ધ્યાન એ તીર્થંકર પદ પ્રાપ્તિનું બીજ છે. સમગ્ર જિનશાસનની આરાધનાનું આ જ પ્રકૃષ્ટ ફળ છે. શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં વિશ્વોપકારક, ભવતારક તીર્થની સ્થાપના કરે છે. ચોવીસ વલયોથી વેખિત પોતાના આત્માનું ધ્યાન કરવું તે પરમમાત્રા ધ્યાન” છે. પદ ધ્યાનની વ્યાપક ઉપકારકતાઃ સર્વ ધ્યાન પ્રકારોમાં ‘પદ ધ્યાન સૌથી વધુ સરળ, વ્યાપક અને ઉપકારક છે. ચતુર્વિધ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રની સ્મરણ-જાપ કે કાયોત્સર્ગ દ્વારા સર્વ અનુષ્ઠાનોમાં આરાધના કરે છે. તેથી ક્રિયાયોગમાં પણ પદ ધ્યાનની વ્યાપકતા રહેલી છે, તે સમજી શકાય છે. આ રીતે પદ ધ્યાન-મંત્રાધિરાજ શ્રી નવકારના પદોનું ધ્યાન
(૨૧)
૧૫ ૨