SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) ક્રિયાયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાન-યોગ આદિમાં વ્યાપક હોવાથી તેની ઉપકારકતા સકળ લોક વ્યાપી છે. પરમ પદ પંચ પરમેષ્ઠિ પદોને આત્મામાં સ્થાપિત કરવા એટલે કે તેમનો પોતાના આત્મામાં આરોપ કરીને, પોતાના આત્માને પણ પરમેષ્ઠિરૂપે ચિંતવવો, તે “પરમપદ ધ્યાન” છે. તેના પ્રારંભ અને સિદ્ધિમાં પદ ધ્યાનનો દીર્ઘ અભ્યાસ ખાસ જરૂરી છે. આ ધ્યાનમાં પરમેષ્ઠિ ભગવંતો સાથે અભેદ એકતા અનુભવાય છે. તેને અભેદ પ્રણિધાન પણ કહે છે. (૨૩-૨૪) સિદ્ધિ-પરમ સિદ્ધિ : મુક્તાત્માઓના અરૂપી ગુણોનું ધ્યાન એ “સિદ્ધિ ધ્યાન” કહેવાય છે. સિદ્ધિ ધ્યાનનો અભ્યાસ કરનારા મુનિ મહાત્માઓ પરમ પદને પામેલા નિરંજન, નિરાકાર, પરમ જ્યોતિ સ્વરૂપ, અનંત ગુણ પર્યાયના પિંડરૂપ સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરે છે. રાગ-દ્વેષના પ્રસંગોમાં પરમ માધ્યશ્ય રાખવાથી સિદ્ધિ ધ્યાન સિદ્ધ થાય છે. વર્તમાન કાળમાં પણ સાધકો સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરી શકે છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ અનંત ગુણોનો સ્વ-આત્મામાં આરોપ કરી, પોતાના આત્માનું સિદ્ધરૂપે ધ્યાન કરવું તે પરમ સિદ્ધિ' ધ્યાન કહેવાય છે. આ રીતે પ્રથમ આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનથી પ્રારંભીને પરમ સિદ્ધિ ધ્યાન સુધીના ૨૪ પ્રકારનાં ધ્યાનો, એ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન સ્વરૂપ છે. મુખ્ય ચોવીશ ધ્યાનમાર્ગના ભેદોનો ૯૬ કરણ, ૯૬ કરણ યોગ અને ૯૬ ભવનયોગથી ગુણાકાર કરીને, તેના ૪, ૪૨, ૩૬૮ જેટલા પેટા ભેદો બતાવ્યા છે. આમ સૂક્ષ્મપણે જોતાં ધ્યાનના ૪ લાખ ઉપરાંત ભેદો છે. ધ્યાન-યોગ અંગેની ભ્રમણાઓથી ઊગરીએ : ધ્યાન-યોગાભ્યાસની સમસ્ત પ્રક્રિયા પોતાને શુદ્ધ કરવા માટે છે. દેહ, ઈન્દ્રિયો અને મનથી પર સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મતત્ત્વને ૧૫૩
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy