________________
ઓળખવા અને અનુભવવા માટે છે.
બધી રીતે થાકીને લોથ થયેલા લોકો માનસિક શાંતિ અને શારીરિક સ્વાથ્ય માટે બીજા કોઈ ઉપાય કારગત ન નીવડતાં યોગ” તરફ આકર્ષાયા છે. પણ આત્મિક ઉત્થાનના મહાન ધ્યેયને વરેલી ધ્યાનયોગની સાધનાને તેના મૂળભૂત તત્ત્વોની ઉપેક્ષા કરીને, આજે માત્ર માનસિક શાંતિ અને શરીરના સ્વાથ્યનું લક્ષ્ય બનાવવામાં આવે છે. તે યોગસાધનાનું અત્યંત દુઃખદ અવમૂલ્યન છે, ઘોર અપમાન છે.
ધ્યાન યોગની સાધના એ પ્રગટ-અપ્રગટ નિજ દોષના નાશ અને ગુણોના વિકાસ માટેની સાધના છે. જીવનમાં આવી સાધના આવે છે, સ્થિર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે કલ્પનાતીત અનુભૂતિઓનો પ્રારંભ થાય છે. તે સાચા ધ્યાનની આરાધના છે.
જીવની મુખ્ય બે શક્તિ છે. યોગ અને ઉપયોગ. યોગ એ આત્માની ક્રિયાત્મક-વીર્યસ્કુરાયમાન શક્તિ છે, અને ઉપયોગ જ્ઞાનાત્મક શક્તિ છે. પ્રત્યેક જીવમાં આ બંને શક્તિઓ કાર્યશીલ છે. જીવની અવસ્થા પ્રમાણે તે બંને શક્તિઓની તારતમ્ય-વધઘટ હોય છે. તે પ્રમાણે ભૂમિકા હોય છે.
આ ચોવીશ ધ્યાન અંતરગત ૪ લાખ જેવા સાગર સમા વિષયને આપવાનું મારું ગજુ નથી એટલે ગ્રંથમાંથી સારરૂપે મારી સમજ પ્રમાણે ઉતારા કર્યા છે. જેનાથી પરિચિત થઈ કોઈ ભાવુક તેનો અભ્યાસ, વિનિમય અને પ્રયોગ કરી પાવન થાય. વિષય ગહન એટલે સદ્ગુરુનો યોગ મળે આ કાળે સાધક આ વિષયનો અભ્યાસ કરે તેવી સરળતાથી ગ્રંથ રચાયો છે.
પૂ.શ્રીએ પ્રારંભમાંજ ગ્રંથના શ્રુતજ્ઞાનની સાગરની ઉપમા આપી છે. ધ્યાનને અનુરૂપ ગહન વિષયોનું જોડાણ અદ્ભુત છે. ચિંતા (ચિંતનનું સ્વરૂપ) નવતત્ત્વોનું ચિંતન કરવું.
ભાવનાનું સ્વરૂપ ઃ (૧) જ્ઞાન ભાવના (૨) દર્શન ભાવના (૩) ચારિત્ર ભાવના (૪) વૈરાગ્ય ભાવના અનિત્ય બાર ભાવના મૈત્યાદિ ભાવનાઓ. ૯૬ કરણનું, ૯૬ ભવનયોગનું સ્વરૂ૫.
પ્રણિધાનાદિ, સામર્થ્યયોગ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર,
૧૫૪