________________
તપાચાર, વીર્યાચારના ભેદોનું વિસ્તૃતકરણ.
લોકસંસ્થાન, તેના મહત્વનું ચિંતન. જીવના લક્ષણો તથા જીવજીવાદિનું ચિંતન.
સિદ્ધ ભગવંતોનું વિસ્તૃત સ્વરૂપ
સાધુ જીવનની કક્ષાના ભેદો. ચૌદ ગુણ સ્થાનક, સમાધિના સંબંધમાં દૃષ્ટાંતો, ભાષાના ૪૨ પ્રકારો.
આવા અનેક વિષયોની સંકલના કરવા ઘણા ગ્રંથના વાંચન મનનનો ભારે શ્રમ ઉઠાવ્યો છે. વાચકો, સાધકો તેના વિસ્તારનો ધૈર્યપૂર્વક અભ્યાસ કરશે તો જીવનમાં ધન્યતા અનુભવશે. ગ્રંથનો વિસ્તાર ૩૬૫ પાના જેવો છે અને અનેક વિષયોનું અવતરણ કરવા ભારે શ્રમ ઉઠાવ્યો છે. આપણને તૈયાર ભાણે જમવાનું મળ્યું છે માટે તેનો પૂરો લાભ ઉઠાવજો.
પૂ. પન્યાસજી શ્રી ભદ્રંકર વિજ્ય રચિત ‘આત્મઉત્થાનનો પાયો' ગ્રંથમાંથી
: ધ્યાન :
मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतोभवेत् ध्यान-साध्यं मतं तच्च तद्धयानं हितमात्मनः મોક્ષ કર્મક્ષયથી જ થાય છે, કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે, માટે ધ્યાન એ આત્મા માટે હિતકારક છે.
આલંબન દ્વારા ધ્યાન સૂક્ષ્મ બને છે, સૂક્ષ્મમાં એકાગ્રતા આવવાથી નિરાલંબતા પ્રાપ્ત થાય છે. ત્યારે લય અવસ્થા પ્રગટે છે. લય અવસ્થાને પ્રાપ્ત થયેલો પરમાત્મ સ્વરૂપમાં તન્મય બની સ્વ સ્વરૂપને અનુભવે છે, જે ધ્યાનનું ધ્યેય છે.
ધ્યાનનું સ્વરૂપ :
જૈન પરંપરા માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારનાં ધ્યાનો દર્શાવે છે. શ્રી બૃહત્ કલ્પસૂત્ર લઘુ ભાષ્યમાં ‘ધ્યાન’ અને
૧૫૫