________________
ચિંતાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છે.
આત્માના દઢ-નિશ્ચય અધ્યવસાય પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દઢ અધ્યવસાયરૂપ અર્થાત્ મનઃ સ્વૈર્યરૂપ, સર્વ પ્રકારનું ધ્યાન ચિંતનરૂપ હોવાથી, તેને ચિંતારૂપ પણ કહી શકાય છે.”
આ અપેક્ષાએ ધ્યાન અને ચિંતાનો અભેદ છે, પરંતુ દેઢ અધ્યવસાય એક અન્તર્મુહૂતથી અધિક નિરંતર રહેતો નથી. તેથી એક ધ્યાનમાંથી બીજા ધ્યાનના મધ્યમાં અંદઢ અધ્યવસાયરૂપ ચિંતા (ચિંતન) છે. તેને ધ્યાનાન્સરિકા પણ કહે છે અને જે છૂટી-છૂટી (વિપ્રકીર્ણ) ચિત્રની ચેષ્ટા, તેને પણ ચિંતા કહે છે. આવી સામાન્ય ચિત્ર ચેષ્ટા અને ધ્યાનાન્તરરૂપ ચિંતા એ બંને ધ્યાનથી ભિન્ન છે. ધ્યાનના ત્રણ ભેદ :
દઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છે. (૧) કાયિક ધ્યાન : કાયાના વ્યાપારથી વ્યાક્ષેપનો ત્યાગ કરી,
ઉપર્યુક્ત થઈ ભાંગા વગેરે ગહાવા અથવા કાચબાની જેમ
અંગોપાંગ સંકોચી સ્થિર રહેવું તે. (૨) વાચિક ધ્યાન ઃ મારે નિર્દોષ ભાષા બોલવી જોઈએ, પણ
સાવદ્ય ભાષા ન બોલવી જોઈએ. આ પ્રમાણે વિચારપૂર્વક બોલવું તે; અથવા વિકથાનો ત્યાગ કરી, શાસ્ત્રાભ્યાસ-સૂત્ર પરાવર્તન
આદિ ઉપયોગપૂર્વક કરવું તે. (૩) માનસ ધ્યાન ઃ એક પદાર્થના ચિત્તની એકાગ્રતા કરવી તે. ધ્યાનાન્તરિકા :
એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અંતર્મુહૂર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યદિ કે મૈત્ર્યાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા તે ચિત્તને ભાવિત બનાવવું પડે છે અને
જ્યાં સુધી દેઢ અધ્યવસાયથી દ્વિતીય ધ્યાનમાં પ્રવેશ ન થાય, ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનાંતિ કે ધ્યાનાન્સરિકા કહેવામાં આવે છે.
આત્મવિશુદ્ધિનું અનન્ય કારણ નિર્મળ ધ્યાનયોગ છે, પછી તેનું આલંબન ચૌદ પૂર્વ બનો કે તેના સારરૂપ એક શ્રી નવકાર બનો. આ
Is :
૧૫૬