________________
દષ્ટિએ શ્રી નવકાર, નવપદ, ચૌદપૂર્વ કે તેમાંનું કોઈ એક પદ પણ સમાન કાર્ય કરે છે. અને તે અંતરંગભાવ પ્રમાણે શુભાસવ, સંવર અને નિર્જરા રૂપ છે. - શ્રી જૈન શાસનમાં મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે. અને તપનું પણ પ્રધાન અંગ ધ્યાન છે. તેથી ધ્યાન એ મોક્ષનો પરમ હેતુ છે. વિશુદ્ધ અને એકાગ્ર એવું ચિત્ત તે જ ઉત્તમ ધ્યાન છે.
મોક્ષદાયક ઉત્તમ ધ્યાનની બે શરત છે : એક તો ચિત્તની વિશુદ્ધિ અને બીજી ચિત્તની એકાગ્રતા, વિશુદ્ધિનો હેતુ ભાવના દ્વારા સધાતી “સમતા' છે. અને એકાગ્રતાનો હેતુ અભ્યાસ દ્વારા સધાતી “સ્થિરતા' છે.
ધ્યેય તરીકે શ્રી પંચ પરમેષ્ઠિનું આલંબન “પુષ્ટાલંબન' છે. તે વડે ધ્યાતા સ્વયં ધ્યેયરૂપ બની જાય છે. પુણાલંબનનો અર્થ જ એ છે કે ધ્યાતાને જે સ્વરૂપ પામવું ઈષ્ટ છે, તે સ્વરૂપને જેઓ સ્વયં પામેલા છે, તે શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોનું આલંબન લેવું તે.
ધ્યાનનો વિષય અતિ ગંભીર છે, એથી યોગી પુરુષોને પણ અગમ્ય છે છતાં ગુરુભક્તિ દ્વારા તે ધ્યાન માર્ગમાં પણ અતિ ઉચ્ચ કોટિનો વિકાસ સાધી શકાય છે, શ્રી પંચ પરમેષ્ઠિ આદિ પરમ તત્ત્વોના વિધિયુક્ત ધ્યાન વડે આપણે સૌ આત્મવિકાસ સાધીએ એ જ એક પરમ કર્તવ્ય છે. લેશ્યા-ધ્યાન :
ધ્યાન કરવા માટે આસન સ્થિર કરીને બેસવું, નેત્ર બંધ કરવાં, ત્યારબાદ શ્યામ ઘટા જેવો અંધકાર દેખાશે, પછી શ્યામતા મટી નીલવર્ણનો આભાસ થશે, પછી તે મટી પીળો, પછી લાલવર્ણ દેખાશે. જ્યારે વર્ણ સિદ્ધ થઈ જશે ત્યારે શ્વેતવર્ણનો પ્રકાશ દેખાશે.
પહેલા ચાર વર્ણ પ્રયત્નથી અને છેલ્લે શ્વેતવર્ણ કુદરતી રીતે દેખાય ત્યારે સમજવું કે આત્મદર્શન સિદ્ધ થયું છે. ધર્મધ્યાનનાં દ્વાર : | ધર્મધ્યાન કરવાની અમુક મર્યાદાઓ છે. તે સંબંધી બાર દ્વારા નીચે મુજબ છે.
૧૫૭