________________
૧. ભાવના દ્વાર : દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વૈરાગ્ય જોઈએ. ૨. પ્રદેશ : એકાંત અને સાધના યોગ્ય ભૂમિ જોઈએ. ૩. આસન શરીરનું અવસ્થાન સુખાકારી જોઈએ. ૪. કાળ ઃ સંધ્યાકાળ.
આલંબનઃ વાચના, પૃચ્છના, પરાવર્તન અને આવશ્યક આદિ
જોઈએ. ૬. ક્રમ : શરીર, વાણી અને મનોગુપ્તિ. ૭. ધ્યાતવ્ય-ધ્યેય : અહ, ૩% આદિ. ૮. ધ્યાતાઃ અપ્રમાદી, નિર્મોહી, જ્ઞાની. ૯. અનુપ્રેક્ષા : સ્વાધ્યાય, ધ્યાન, ૧૦. લેશ્યા તેજો, પધ અને શુકલ. ૧૧. લિંગ : આજ્ઞા-રુચિ આદિ. ૧૨. ફળ : આત્મજ્ઞાન, શુદ્ધાત્માનો સાક્ષાત્કાર. પરમાત્મધ્યાનનાં ચાર માધ્યમ :
नामाकृतिद्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्र काले च सर्वस्मिन्नर्ह तः समुपास्महे ॥
- શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ દ્વારા જે અરિહંત પરમાત્માઓ સમગ્ર વિશ્વમાં સર્વ કાળે જગતના જીવોને પવિત્ર બનાવે છે તે શ્રી અરિહંતોની અમે ભાવપૂર્વક ઉપાસના કરીએ છીએ. નામજિનસ્થાપનાજિન-દ્રવ્ય જિન અને ભાવજિનના ભેદથી શ્રી અરિહંત ચાર પ્રકારના હોય છે. ૧. નામનિ જિનેશ્વર પરમાત્માનું નામ જેમ કે શ્રી પાર્શ્વનાથપ્રભુ,
શ્રી વર્ધમાનસ્વામી વગેરે. ૨. સ્થાપનાજિન : શ્રી જિનેશ્વર પરમાત્માની મૂર્તિ. ૩. દ્રવ્યજિન શ્રી જિનેશ્વરપદને પામનાર જીવો જેમ કે ભવિષ્યમાં
તીર્થંકર પરમાત્મા થનારા શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રી શ્રેણિક મહારાજા વગેરે અને શ્રી ઋષભાદિકચોવીસ શ્રી તીર્થકર ભગવંતો વગેરે. જેઓ જિનપદ પામીને અત્યારે સિદ્ધ થયેલા છે. તે બધા દ્રવ્યજિન છે.
૧૫૮