________________
૪. ભાવજિન : સમવસરણમાં બિરાજમાન થઈને પોતાની નિર્મળ
વાણી વડે ભવ્ય જીવોના સંદેહ દૂર કરી રહ્યા છે, શ્રી
સીમંધરસ્વામી આદિ વિહરમાન જિનેશ્વરો. નામ-અરિહંત દ્વારા પ્રભુની ઉપાસના :
“અહં” આદિ મંત્રના ધ્યાનમાં એકાકાર બનવાથી શ્રી અરિહંત પરમાત્મા સાથે એકાકારતા સધાય છે. “અરિહંત' એ શબ્દ શ્રી અરિહંત પરમાત્માનો વાચક હોવાથી કથંચિત્ અરિહંત સ્વરૂપ છે. તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલો સાધક પણ ઉપયોગથી અરિહંત બને છે અને અરિહંતાકાર ઉપયોગ, સર્વ પાપનો નાશ કરવા સમર્થ છે.
શ્રી “લોગસ્સ' સૂત્ર દ્વારા નામજિનની આરાધના થાય છે. “અરિહંત ચેઈયાણં' સૂત્ર દ્વારા સ્થાપનાજિનની આરાધના થાય છે. “નમુત્યુસં' સૂત્ર દ્વારા ભાવજિનની આરાધના થાય છે. અને “સિદ્ધાણં બુદ્ધાણં' આદિ સૂત્રો દ્વારા દ્રવ્યજિનની આરાધના થાય છે. - નામાદિ ભેદથી ધ્યેયના ચાર પ્રકાર પડે છે. પદસ્થ ધ્યાનમાં નામ ધ્યેય, રૂપસ્થ ધ્યાનમાં સ્થાપના ધ્યેય, પિંડસ્થ ધ્યાનમાં દ્રવ્ય ધ્યેય અને રૂપાતીત ધ્યાનમાં ભાવધેયનો સમાવેશ થાય છે. દ્રવ્યસમાપત્તિ :
સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ સહિત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ અરિહંતાકાર ઉપયોગવાળી બનતી હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમાપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય અને અમુક કાળે પ્રાપ્ત ન થાય, એવું સમ્યગ્દષ્ટિ જીવ માટે બનતું નથી. કારણ કે તેની મન-વચન અને કાયા વડે થતી પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પ્રણિધાન હોય છે. આજ્ઞાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ આજ્ઞાકારક શ્રી અરિહંત પરમાત્માનું હૃદયમાં ધ્યાન વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે. તેથી શાસ્ત્રોમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશંસ અને નિઃશલ્ય ધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવેલ છે.
આજ્ઞાપાલનનો અધ્યવસાય એક બાજુ પોતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે અને બીજી બાજુ આજ્ઞાકારક પરમાત્માનું હૃદયમાં ધ્યાન ધરાવે છે. ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન અશુભ આસ્રવને
૧૫૯