________________
રોકે છે અને એ રીતે પરમાત્માનું હૃદયમાં થતું અનુસંધાન શુભ સંવર અને નિર્જરાનું સાધન બને છે.
‘અશુભ આસવનો ત્યાગ, શુભ સંવરનું સેવન અને સકામપણે પરમાત્માના ધ્યાનથી થતી દ્રવ્ય અને ભાવનિર્જરા મુક્તિમાર્ગ બને છે. એ ત્રણેના એકત્ર મિલનથી જીવ સકળ કર્મ નિર્મોહરૂપ મોક્ષને શાશ્વત કાળ માટે પ્રાપ્ત કરે છે.
ૐ અર્હ મંત્રનું તાત્પર્ય :
ૐ અર્હ, એ મંત્ર આર્તધ્યાન, રૌદ્રધ્યાન નિવારક છે અને ધર્મધ્યાન-શુક્લધ્યાનકારક છે.
ૐ એ પદ વડે કર્મનો વિચાર, રૌદ્રધ્યાનને રોકે છે અને અર્જુ પદ વડે થતો ધર્મનો-આત્મધર્મનો વિચાર આર્તધ્યાન નિવારે છે. ધર્મધ્યાનનો વિચાર, રૌદ્રધ્યાન નિવારક છે. શુક્લધ્યાનનો વિચાર, આર્તધ્યાન નિવારક છે.
ધર્મધ્યાનમાં આલંબન તરીકે મુખ્યત્વે કર્મનો વિચાર છે અને શુક્લધ્યાનમાં આલંબન તરીકે આત્મતત્ત્વનું એકાગ્ર ચિંતન છે.
મંત્રનું ઘર મન છે, મૂર્તિનું ઘર હૃદય છે. મન મંત્રમય બને, હૃદય મૂર્તિમય બને એટલે જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ગમ સ્વાભાવિક બને એટલે વિભાવદશા ભારભૂત બને અને સંસાર છોડવાની તમન્ના પરાકાષ્ઠાએ પહોંચે. પ્રાંતે મોક્ષ ગમન થાય.
મહા મેધાવી યોગીજનોની સાધના, સંયમ, પવિત્રતાના યોગો સૌના કલ્યાણની ભાવનાથી જે શ્રુત સ્ત્રોત વહ્યો છે તે અદ્ભૂત છે. તેને માણવો તે માનવ જીવનનો લહાવો છે સાર્થકતા છે.
પૂ. પન્યાસજીએ આ કાળના ત્યાગીજનોમાં નવકારમંત્રની સિદ્ધિનો જે મહિમા માણ્યો, પ્રગટ કર્યો તે અદ્ભૂત છે. આજની કેવળ બહિર્મુખ અનેક પ્રકારની ધાર્મિક પ્રણાલિમાં પાછા આવી મહત્વની કંડારેલી કેડી પર ચાલવાનું સાહસ કોણ કરશે ? હા, પણ એવી પરાઃમુખ આશા આ યોગીજનોમાં હોતી નથી કેવળ સ્વપર કલ્યાણનો નિસ્પૃહભાવનાનો સ્ત્રોત વહાવ્યો છે. મહપુણ્યયોગવાળાને હાથમાં આવશે તેનું જીવન ધન્ય બનશે. નવકારમંત્ર કે નવપદનું વિશદ અને ગૂઢ પ્રકારના કમળાકાર, વલયાકારે માત્રારૂપ ધ્યાન તેઓશ્રીના ગ્રંથમાંથી સાધકે જાણવા પ્રયત્ન કરવો.
૧૬૦