________________
ધ્યાન શતક
રચયિતા : પૂર્વધર મહર્ષિ આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ. સંસ્કૃત ટીકાકાર ઃ આ. પુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી.
હિંદી ભાવાર્થ અને વિવેચનકાર : પૂ. આ. શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી.
વાસ્તવમાં એક હજાર વર્ષ પૂર્વે પૂર્વધર રચિત ગ્રંથ અને તેની સંસ્કૃતમાં કરેલી ટીકાનો હિંદી અનુવાદ જોતા એવું લાગે કે સેંકડો વર્ષ પૂર્વે રચેલા આ ગ્રંથમાંથી સરવાણીઓ નીકળી અને ધ્યાન ઉપર અન્ય ગ્રંથોની રચના થઈ હશે? જે હજારો શ્લોક પ્રમાણ ઉપલબ્ધ છે.
અગાઉના લેખનમાં અને પ્રવર્તમાન આચાર્યોશ્રીના લેખનમાં ધ્યાનશતકનો મર્મ સમાવેશ થતો હોવાથી તેના મુખ્ય મુદ્દાજ અત્રે દર્શાવ્યા છે. જેમાં પરંપરાની પ્રણાલિ તાદૃશ્ય થાય છે. તે ધ્યાન કહો, ભાવના કહો આ સર્વે મનની અવસ્થાઓ છે. મનને એકજ વિષય પર એકાગ્ર કરવું તે ધ્યાન છે. પરંતુ મન જો અસ્થિર થાય એક વિચાર કે વિષય પરથી અન્ય પર જાય તેને ચિત્ત કહે છે. (ચિંતા)
ચિત્તના ત્રણ પ્રકાર છે. ૧. ભાવનાર. અનુપ્રેક્ષા ૩. ચિંતા (ચિંતન)
ભાવના-ધ્યાન ? મનને ભાવિત કરવાવાળા જ્ઞાનાદિમાં જોડી રાખવું તે ભાવના. તેમાં અન્ય વિકલ્પોથી રહિત મન એક તત્ત્વ પર એકાગ્ર થવાને સમર્થ બને છે તે ધ્યાન છે. - અનુપ્રેક્ષા : જે કંઈ અભ્યાસ કર્યો તેનું ચિંતન મનન કરવું. ધ્યાન અલ્પ સમય ટકે છે, પછી મન ધ્યાન ભ્રષ્ટ થાય છે. ત્યારે મનને તસ્વસ્મરણમાં પુનઃ જોડી દેવું તે અનુપ્રેક્ષા છે.
ચિંતા-ચિંતન : ભાવના અને અનુપ્રેક્ષા રહિત મનની અસ્થિર અવસ્થા. પોતાના કર્તવ્ય આદિની, કષાયમંદતાની વિચારધારા ચિંતા છે.
મન ગુણ પર્યાય યુક્ત વસ્તુ પર અધિકતમ અંતર્મુહૂર્ત ટકે છે. આ ધ્યાનના સ્વામી છદ્મસ્થ હોય છે.
છઘસ્થ : જ્ઞાનાદિગુણને આચ્છાદન કરે તે ઘાતકર્મ, તેવા કર્મયુક્ત છદ્મસ્થ, કહેવાય છે.
૧૬૧