________________
કેવળીને યોગનિરોધ કરવાવાળું અંતિમ ધ્યાન છે. ત્યાં એકાગ્ર ચિત્ત કરવાનું નથી. ધ્યાનાંતર અવસ્થા છે.
મન-ઉપયોગની અવસ્થા પ્રમાણે ધ્યાન બે પ્રકારે છે શુભ અને અશુભ.
શુભધ્યાન-તત્ત્વ પર એકાગ્રતાથી ચિત્તને રોકવું. તે ધર્મધ્યાન છે. શુકલધ્યાન પ્રચંડ અગ્નિ જેવું છે તે કર્મરૂપી કાષ્ઠને જલાવીને ભસ્મીભૂત કરે છે.
મિથ્યાદર્શન, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ દ્વારા કર્મ બંધાય છે.
યોગ-મન, વચન, કાયાની પ્રવૃત્તિના આત્મ પરિણામ-સ્કૂરણા જે કર્મબંધનું કારણ છે. આત્મા સર્વજ્ઞ બને છે ત્યારે નિર્વાણ સમયે યોગ નિરોધ કરે છે પછી મુક્ત થાય છે.
ધ્યાન જીવ પર લાગેલા કર્મમલને જેમ પાણી મેલને સાફ કરે છે તેમ કર્મમલને સાફ કરે છે.
ધ્યાનથી એકાગ્રતા થવાથી યોગ નિરોધ થાય છે.
ધ્યાનનું પ્રત્યક્ષ ફળ દોષનાશ છે. શારીરિક પીડા મંદ થાય છે અથવા સમતાથી સહી લેવાય છે.
ધ્યાન સુખોનો ભંડાર છે તેથી ધ્યાન શ્રદ્ધા, શેય, ધ્યાતવ્ય, દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના છે.
સાધુની સઘળી ક્રિયા ધ્યાનરૂપ છે. છતાં પણ મનને વિવિધતા પ્રિય છે. માટે વિવિધ ક્રિયા, સૂત્રતા અને સ્વાધ્યાયમાં સ્થિર થઈ જાય. તેમ ન થાય તો માત્ર એકરૂપ કોઈ “ૐ” આદિમાં સતત સ્થિર થવા પ્રયત્ન કરે. તો ધ્યાન સિદ્ધ થાય.
આ હિંદી ગ્રંથ ઉપરાંત મોટા ગ્રંથોનું નિર્માણ થયેલું છે. મેં મારી સમજ પ્રમાણે પુનરાવર્તન ન થાય અને વિસ્તાર વધી ન જાય તેથી સંક્ષિપ્ત હાર્દ દર્શાવ્યું છે. જેથી રસિક વાચકોને પણ આવા ઉત્તમ ગ્રંથનો અભ્યાસ કરી પાવન થવાની ભાવના થાય.
હજારો વર્ષ પહેલાના દ્વાદશાંગીના અન્વયે થયેલું ધ્યાનનું નિરૂપણ પરંપરાગત ચાલ્યું આવ્યું છે. સરલ અને અભ્યાસરૂપ બનતું જાય છે તેમાં મહાત્માઓની જ કરૂણાદ્રષ્ટિ છે.
૧૬ ૨