SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પ્રવર્તમાન પૂ. આ. યશોવિજયસૂરિજી રચિત પ્રવર્તમાન પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિ આલેખિત ધ્યાન અને કાયોત્સર્ગ પુસ્તક પ્રકાશિત થયું છે. તેમાંથી હૃદયંગમ લેખન અત્રે પ્રસ્તુત કર્યું છે. તેમાં સૌ પ્રથમ આચાર્ય શ્રી પદ્યુમ્નસૂરિએ તેમની આંતરિક વેદના લખી છે તે વિચારવા જેવી છે. “યોગમાર્ગ ચા ધ્યાનમાર્ગ” એક કાળે જે રાજમાર્ગ હતો કાળબળે તે કેડી બની ગઈ છે. કેડી બની તો બની, પણ તેના પર ધૂળ વળી ગઈ, વપરાશ ઘટયો. એકલ દોકલા વટેમાર્ગ એ કેડીને ટૂંઢતા તૂટતા ચાલે છે તો ચાલે છે. વર્તમાનકાળે વ્યવહારમાર્ગ પૂરપાટ ચાલે છે. તેનાથી જરા જૂદો પણ લક્ષ્ય ઉપર જલ્દી પહોંચાડે તેવો આ રસ્તો છે. આજકાલ જે બહિરંગ સાધના દેહ-દમન વગેરે ચાલે છે તેના પ્રયોજન રૂપ નિશ્ચયનયની સુરેખ વાનગીઓ મળી. ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ નામના પ્રકરણમાં લેખક મોકળાશથી વરસ્યા છે, ખીલ્યા છે. વિકલ્પોથી વિરામ પામીને પરમાંથી-પુગલમાંથી ખસવાનું છે. સ્વને શોધીને તેમાં વસવાનું છે ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે એ ખૂબ વ્યવહારુ વાત છે એ બતાવીને તરત સગુણસ્થિતિ એ પણ ધ્યાન છે. એવું આ પુસ્તકમાંથી મળે છે. એ પંથ ઉપર ચાલવાનું મન થાય અને આપણા ડગલા એ દિશા તરફ આગળ વધે એજ ઈચ્છા મનમાં રમે છે. - પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરીજી આજ ગ્રંથમાં પૂ.ઉપાધ્યાય શ્રી ભાનવિજ્યજી મહારાજે કાયોત્સર્ગના મર્મને ખૂબ ઉંડાણથી ખોલ્યો છે. પ્રભુમહાવીરને બિરદાવીને લખે છે કે પ્રભુ, અંતઃકરણમાં ઉપયોગની અવિચ્છિન્ન જાગૃતિ અને બહાર કઠિન આસન (ખગાસન મુદ્રા) સ્થિરતાનું તપ રાગને કચડી નાંખનારું આવું યંત્ર તમારા સિવાય કોઈએ ચલાવ્યું જાણ્યું નથી.” ૧૬૩
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy