SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ “એ યંત્ર હતું સાત્વિનું, અખંડ જાગૃતિનું, જ્ઞાનોપયોગને વિશુદ્ધ રાખવાનું અક્ષણ પુરૂષાર્થનું, બહારથી પ્રભુ અચલ અડોલ ઉભેલા દેખાય, અંદર અવિરત અવધાન-સ્મૃતિ સજગતાનું એક ચક્ર ચાલતું હોય. ભગવાન પ્રહરો અને ઘટિકાઓ સુધી કાયોત્સર્ગ કરતા. તપનો અંતિમ પ્રકાર જૈન સાધનાની પરંપરામાં જણાવવામાં આવ્યો છે તેનું નામ છે, વ્યુત્સર્ગ. સાધનાનો આખરી પડાવ છે વ્યુત્સર્ગ-કાયોત્સર્ગ.” કાયોત્સર્ગ એ ઉત્સર્ગ-ઉત્સર્જનની સાધના છે, રેચનની નિર્જરાની, ખાલી થવાની પ્રક્રિયા છે. કર્મો, કષાયો, કાયાભ્રાંતિ આ બધા ‘ભાર'નું ઉત્સર્જન કરવા માટેનું આ યંત્ર એટલે શુદ્ધોપયોગ અને એનું માધ્યમ કાયોત્સર્ગ” શુદ્ધોપયોગ એટલે રાગ-દ્વેષ, મોહ રહિત અને રોજીંદી ભાષામાં કહીએ તો ગમા-અણગમાના ગોટાળાથી ચેતનાને બચાવતા રહેવું. અણથક અને અવિરામપણે સુદીર્ઘકાળના આ આંતર સંઘર્ષના અંતે ધન્યપળે સાધકને નિભ્રાંત દર્શન લાવે છે. સ્વાનુભૂતિ સાંપડે છે. તીર્થકરોએ આ માટે કાયોત્સર્ગની પ્રક્રિયા પોતે પ્રયોજી અને મુમુક્ષુઓને પ્રબોધી. વળી પૂજ્યશ્રીએ એક અદ્ભુત વાત ખોલી છે કે કાયોત્સર્ગ બૌદ્ધિક પ્રક્રિયા નથી અને સામાન્યરૂપે આરાધક વર્તુળો માનતા હોય છે તેમ, માત્ર કર્મક્ષય કરવાની વિધિ નથી. કાયોત્સર્ગ ચેતનક્રિયાને સારો ઓપ આપવાની પદ્ધતિ નથી. પણ અવચેતના ચિત્તના તળિયે જમા થયેલ “કાંપને ઉલેચવાની વિધિ છે. રાગ, દ્વેષ, ઈચ્છા, તૃષ્ણા, ભ્રમ, ભય, અજ્ઞાન, જેવા અનેક મળોને અધ્યવસાયોમાંથી ગાળી-નિતારી દેવાની ચેતનાના ઉંડા સ્તરે ચાલતી પ્રક્રિયા છે. કાયોત્સર્ગની સાધનાનો પ્રારંભ કરતાંની સાથે જ તેજ દિવસે અને તેજ ક્ષણે ચિત્ત પૂર્ણ શુદ્ધ થઈ જાય એવું ન બને નિરંતર અભ્યાસ દ્વારા ઉપયોગની શુદ્ધતા વધતી જાય છે. જાગૃતિ તીક્ષ્ણ તીક્ષ્ણતર બનતી જાય ત્યારે એક મંગલ ક્ષણ એવી આવે છે કે નિબિડ ગ્રંથિનો ભેદ થઈ નિજનું નિભ્રાંત દર્શન લાવે છે. સાધના ચાલુ રહે છે. અવશિષ્ટ ૧૬૪
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy