SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૩-૪) શૂન્ય-પરમશૂન્ય: અહીં દર્શાવેલ શૂન્ય ધ્યાન એ ચિત્તને વિકલ્પ રહિત બનાવવાના અભ્યાસરૂપ છે, તેના ફળરૂપે ઉન્મનીકરણ આદિ ચિન્માત્ર સમાધિ પ્રાપ્ત થતાં નિરંજન, નિરાકાર આત્માનો અનુભવ થાય છે. મનને પ્રથમ ત્રિભુવન વ્યાપી કરીને, પછી એક વસ્તુમાં સંકોચી લઈને પછી તેમાંથી પણ ખસેડી લેવામાં આવે તે પરમશૂન્ય ધ્યાન છે. (પ-૬) કલા-પરકલા : ચિત્તની વિકલ્પ રહિત અવસ્થા થવાથી પ્રાણશક્તિરૂપ કુંડલિની સહજ રીતે ઊર્ધ્વગામી બને છે. તેમાં મુખ્યતયા કારણ શુભધ્યાનની પ્રબળતા છે. તેથી તેવા સાધકને દેશ, કાલ, કરણ કે આસન વગેરે કોઈ સાધનોની અપેક્ષા રહેતી નથી. “કલા' સહજ સમાધિને સૂચિત કરે છે. તે અવસ્થામાં સાધકને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. “પરમ કલા ધ્યાન” મહાપ્રાણ ધ્યાન સમયે ચૌદ પૂર્વધર શ્રત કેવળીઓને હોય છે. કુંડલિની ઉત્થાનની સર્વ પ્રક્રિયાઓ કલા ધ્યાનમાં અંતર્ભત છે. (૭-૮) જ્યોતિ-પરમ જ્યોતિ : સ્થિર અધ્યવસાયરૂપ જે ધ્યાન વિશેષથી આત્માનુભવરૂપ જ્યોતિ-પરમ જ્યોતિનું પ્રગટીકરણ થાય છે. તે ધ્યાનને જ્યોતિર્ધાન અને પરમજ્યોતિર્ધાન કહે છે. આ પરમ જ્યોતિની સિદ્ધિ પરમ જ્યોતિર્મય પરમાત્મા પ્રત્યે વંદન-પૂજન-કીર્તન-સ્મરણ અને ચિંતનાદિ વડે અનન્ય આદર-બહુમાન પૂજ્યભાવ ધારણ કરવાથી ધ્યાનમાં સહજ લીનતા-તન્મયતા આવવાથી થાય છે. આ બંને ધ્યાન આત્માથી જ્ઞાનશક્તિના સામર્થ્યને બતાવે છે કે જે ધ્યાનના પ્રભાવે આત્મપ્રદેશોમાં ચોંટેલા કર્મસ્કંધો ઢીલા-પોચા પડી જાય છે. (૯-૧૦) બિન્દુ-પરમ બિન્દુ: પૂર્વના ધ્યાનોમાં દીર્ઘ અભ્યાસથી બિન્દુ ધ્યાન સરળતાથી સહજ રીતે સિદ્ધ થાય છે. ત્યારે ૧૫૦
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy