SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ (સમ્યગુદૃષ્ટિ) બારમા ગુણસ્થાનક સુધીના સાધકો ધ્યાન, યોગ અને સમાધિ ભિન્ન ભિન્ન રીતે અનુભવ કરે છે. ચિત્તને ધ્યાનની ભૂમિકામાં લઈ જવા માટે ધ્યેયમાં સ્થિર બનાવવા માટે ચિંતન અને ભાવનાનું પ્રેરકબળ જરૂરી છે. ચિંતન વિચારાત્મક છે. તે માટે જીવાદિ તત્ત્વોનું ચિંતન કરવું. ભાવના આચારાત્મક છે તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યનો અભ્યાસ કરવો. અર્થાત્ શ્રુતચિંતા અને જ્ઞાનાદિ આચારના શુભઅનુષ્ઠાનના અભ્યાસની અગત્યતા દર્શાવી છે. ધ્યાનના મુખ્ય ર૪ ભેદોનું યથાવત સંક્ષિપ્ત પરિચય (૧) ધ્યાન : આ ગ્રંથમાં દર્શાવેલા ૨૪ ધ્યાનમાર્ગ ભેદોમાં સર્વપ્રથમ ભેદ ધર્મ ધ્યાનનો છે. એમાં આજ્ઞાવિચય (આદિ) રૂપ ધર્મધ્યાનનો નિર્દેશ છે. હકીક્તમાં પરમાત્મા અને તેમની આજ્ઞા બંને એક છે. જિનાજ્ઞાનું ધ્યાન એ શ્રી જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન છે. તેથી પરમાત્મ ભક્ત અંતરાત્મા પ્રભુની આજ્ઞાને પ્રભુસ્વરૂપ માની સર્વ પ્રથમ તેનું જ ધ્યાન કરે છે. આજ્ઞાવિચય ધર્મધ્યાન અભ્યસ્ત થયા પછી શેષ પરમધ્યાન આદિ ધ્યાનો અનુક્રમે સરળતાથી સિદ્ધ થાય છે. પરમ ધ્યાન પ્રથમ ધર્મ ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક આત્મામાં જ્યારે ઉત્કટ પ્રકારની ક્ષમા, મૃદુતા, ઋજુતા, સંતોષવૃત્તિ, અનુપમ સહનશીલતા આદિ ગુણો અને મૈત્રી આદિ ભાવો વૃદ્ધિ પામે છે, ત્યારે પરમ ધ્યાનરૂપ શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. ધર્મધ્યાન એ શુક્લધ્યાનનું બીજ છે. પરમ ધ્યાન શુકલ ધ્યાનનો પ્રથમ પ્રકાર “પૃથકત્વ-વિતર્કસવિચાર” સ્વરૂપ છે. તે મુખ્યતયા અપૂર્વકરણ આદિ ૮ થી ૧૧ ગુણસ્થાનકોમાં શ્રેણિસ્થ જીવોને હોય છે અને ગૌણપણે અપ્રમત્ત મુનિને પણ રૂપાતીત ધ્યાન સમયે શુક્લ ધ્યાનનો અંશ માત્ર હોય છે. ૧૪૯
SR No.005926
Book TitleDhyan Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDeepakbhai & Dharmiben Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy