Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 167
________________ બહિરાત્મ દેહાત્મબુદ્ધિનો ભાવ જતા સર્વ દુઃખોનો અંત આવે છે. સુખ બહાર નથી એવો દૃઢ નિશ્ચય થવાથી સુખદ અનુભવ થાય છે, તે અંતરાત્મદશા છે. અંતરાત્મભાવ પ્રગટવાથી મોહિતમિરનો નાશ થાય છે. જીવને મિથ્યામાં સતની ભ્રાંતિ આ મોહતિમિર કરાવે છે. સ્વરૂપ સન્મુખતારૂપ અંતરાત્મભાવના પ્રભાવે તે દૂર થાય છે. ધ્યાતા અંતરાત્મા, ધ્યેય પરમાત્મા, ધ્યાન પ્રક્રિયા આ ત્રણેની એકતા તે સમાપિત્ત છે. જે પરમસુખદાયક છે. આત્મા સ્વયં પરમાત્મપણે પ્રકાશે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા અભેદ થાય છે. જૈહ ધ્યાન અરિહંત કો તેહિ જ આતમ ધ્યાન” પરમાત્માના આલંબન સિવાય સાધક શુદ્ધ સ્વરૂપને જાણતો નથી કે પામતો નથી. તેથી સાધક પરમાત્માને પોતાના અનન્ય શરણ્ય અને ધ્યેયરૂપ સ્વીકારે છે. આ ‘પરમાત્મા’ પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાનશક્તિ વડે થઈ શકે છે. બહિરાત્મદશા ત્યાજય છે. અંતરાત્મદશા ઉપાય સાધનરૂપ છે. પરમાત્મદશા સાધ્ય છે. ઉપેય, ધ્યેય છે. રાગદ્વેષ, અજ્ઞાન, મોહાદિ અઢાર દોષ રહિત પરમાત્મા છે. અનંતજ્ઞાનાદિ ગુણોથી સંપન્ન પરમાત્માનું સ્વરૂપ છે. સદેહ અવસ્થામાં પૃથ્વીતલ પર વિચરી ઉપદેશદાતા સર્વવીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા સાકાર પરમાત્મા છે. સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી દેહાદિથી રહિત પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પામેલા સિદ્ધ પરમાત્મા નિરાકાર લોકાગ્રે બિરાજે છે. આમ પરમાત્માના યથાર્થ સ્વરૂપને જાણી જે સાધક તેને જ પોતાના અનન્ય શરણ્ય અને ધ્યેયરૂપે સ્વીકારે છે, તેમના શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે તે સાધક ક્રમશઃ પરમાત્મભાવથી ભાવિત થાય છે, અને સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે. અંતરાત્મદશા સાધક અવસ્થા છે. તે ચતુર્થગુણસ્થાનકથી ૧૪૮

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236