________________
બહિરાત્મ દેહાત્મબુદ્ધિનો ભાવ જતા સર્વ દુઃખોનો અંત આવે છે. સુખ બહાર નથી એવો દૃઢ નિશ્ચય થવાથી સુખદ અનુભવ થાય છે, તે અંતરાત્મદશા છે.
અંતરાત્મભાવ પ્રગટવાથી મોહિતમિરનો નાશ થાય છે. જીવને મિથ્યામાં સતની ભ્રાંતિ આ મોહતિમિર કરાવે છે. સ્વરૂપ સન્મુખતારૂપ અંતરાત્મભાવના પ્રભાવે તે દૂર થાય છે.
ધ્યાતા અંતરાત્મા, ધ્યેય પરમાત્મા, ધ્યાન પ્રક્રિયા આ ત્રણેની એકતા તે સમાપિત્ત છે. જે પરમસુખદાયક છે. આત્મા સ્વયં પરમાત્મપણે પ્રકાશે છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા અભેદ થાય છે. જૈહ ધ્યાન અરિહંત કો તેહિ જ આતમ ધ્યાન” પરમાત્માના આલંબન સિવાય સાધક શુદ્ધ સ્વરૂપને જાણતો નથી કે પામતો નથી. તેથી સાધક પરમાત્માને પોતાના અનન્ય શરણ્ય અને ધ્યેયરૂપ સ્વીકારે છે. આ ‘પરમાત્મા’ પ્રચ્છન્નરૂપે સર્વ જીવોમાં રહેલા છે. ગાઢ અજ્ઞાનરૂપી ભસ્મથી આચ્છાદિત તે પરમાત્મ સ્વરૂપનો અનુભવ પ્રબળ ધ્યાનશક્તિ વડે થઈ શકે છે.
બહિરાત્મદશા ત્યાજય છે. અંતરાત્મદશા ઉપાય સાધનરૂપ છે. પરમાત્મદશા સાધ્ય છે. ઉપેય, ધ્યેય છે.
રાગદ્વેષ, અજ્ઞાન, મોહાદિ અઢાર દોષ રહિત પરમાત્મા છે. અનંતજ્ઞાનાદિ ગુણોથી સંપન્ન પરમાત્માનું સ્વરૂપ છે.
સદેહ અવસ્થામાં પૃથ્વીતલ પર વિચરી ઉપદેશદાતા સર્વવીતરાગ શ્રી તીર્થંકર પરમાત્મા સાકાર પરમાત્મા છે.
સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી દેહાદિથી રહિત પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પામેલા સિદ્ધ પરમાત્મા નિરાકાર લોકાગ્રે બિરાજે છે.
આમ પરમાત્માના યથાર્થ સ્વરૂપને જાણી જે સાધક તેને જ પોતાના અનન્ય શરણ્ય અને ધ્યેયરૂપે સ્વીકારે છે, તેમના શરણ અને ધ્યાનમાં એકાકાર બને છે તે સાધક ક્રમશઃ પરમાત્મભાવથી ભાવિત થાય છે, અને સ્વયં પરમાત્મ સ્વરૂપ બને છે.
અંતરાત્મદશા સાધક અવસ્થા છે. તે ચતુર્થગુણસ્થાનકથી
૧૪૮