________________
Version 001: remember to check htÎp://www.AtmaDharma.com for updates
૧૦ ]
[વીતરાગવિજ્ઞાન ભાગ-૩
ઝાંઝવા જેવા વિષયો તરફના વેગે ચડેલા પ્રાણીને એટલો વિચાર પણ નથી આવતો કે અરે, અનાદિકાળથી અશુભ ને શુભ વિષયો પાછળ દોડવા છતાં મને જરાય સુખ કાં ન મળ્યું ? સુખની ઠંડી હવા પણ કાં ન આવી? -ક્યાંથી આવે ? એમાં સુખ હોય તો આવેને? એ વિષયો તરફના વેગમાં તો ધગધગતી રેતી જેવી આકુળતા જ છે; તેમાં સુખ ભાસે છે તે તો અજ્ઞાનીનો દષ્ટિભ્રમ જ છે.
બહારની અનુકૂળતા તે સુખ, ને પ્રતિકૂળતા તે દુ:ખ–એમ ૫૨માં સુખ-દુ:ખ નથી. ધનવાન સુખી ને નિર્ધન દુઃખી એમ પણ નથી; નિરોગતામાં સુખ ને રોગમાં દુઃખ એમ પણ નથી; બહારની દરિદ્રતામાં કાંઈ દુ:ખ નથી ને લાખો-કરોડો રૂપિયાનો ઢગલો હોય-એમાં કાંઈ સુખ નથી. પણ એ બંને તરફના વલણમાં આકુળતાથી જીવ દુઃખી... કે જેમાં જોવાથી સુખ મળે. આત્મા જ સુખનો ભંડાર છે પણ એની એને પોતાને ખબર નથી. સખુ તે તો આત્માનો પોતાનો વૈભવ છે, તે કાંઈ જડવૈભવમાં નથી.
ભાઈ, તારે સુખી થવું છેને? ... હા. તો સુખ કેવું હોય અને તે કેમ મળે તે ઓળખવું જોઈએ. આત્માનો જે સહજ સ્વભાવ છે તેમાં વચ્ચે રાગની ડખલ ઊભી ન કર તો આત્મા પોતે જ નિરાકુળ સુખરૂપે અનુભવમાં આવે છે. સુખસ્વભાવ તે આત્મા જ છે. નિરાકુળતા તે સુખ છે, અને તે આત્માની મુક્તદશા છે; માટે સુખના અર્થીએ મોક્ષના મારગમાં લાગવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com