Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 327
________________ [ ૧૨ ] સાધુ સાધી શિબિર પુર્ણાહુતિ સમારોહ ચાર માસના લાંબા ગાળા સુધી સાથે રહેવા છતાં હજુ હમણાં જ મળ્યા છીએ અને શિબિર હમણાં-આટલી જલ્દી પૂરો થઈ ગયો એવી ભાવના લગભગ દરેક શિબિરાર્થીના મનમાં શિબિર–સમાપ્તિ કાળ પાસે આવતો ગયો તેમ થવા લાગી. તા. ૨૧-૧૧-૬૧નું છેલ્લું પ્રવચન થઈ ગયું. સાંજના ચર્ચા થઈ. બધાએ પોતપોતાને શિબિરથી શું લાભ થયો હતો તે હી બતાવ્યું જે અન્યત્ર આપવામાં આવેલ છે. પ્રિય છેટુભાઈને બીજે દિવસ મૌન હતું એટલે તેમણે પોતાનું લેખિત વક્તવ્ય તૈયાર કર્યું હતું. સહુના હદય ગદગદ થઇ ગયાં હતાં. તા. ૨૨-૧૧-૧૧ને દિવસ પણ આવી ગયો. આજે પૂર્ણાહુતિને સમારોહ મનાવવાનો હતો. મુખ્ય અતિથિ શ્રી. વૈકુંઠલાલભાઈ મહેતા હતા. એક સંત કાર્યકરના હાથે ઉદ્દઘાટન થયું હતું અને સેવાભાવી રચનાત્મક પ્રખર ગાંધીવાદી કાર્યકર શ્રી. વૈકુંઠલાલભાઇ મહેતાના હાથે પૂર્ણાહુતિ થતી હતી તે પણ શુભ સૂચક હતું. સવારે ૮-૩૦ વાગે શિબિર પૂર્ણાહુતિ સમારોહ શરૂ થયા. સર્વ પ્રથમ શ્રી મરાબને મંગળાચરણ કર્યું ભજનની પંકિતઓ મધુર સ્વરે ગાઈને...... “ફૂલ કહે ધન્ય.....!” વિધવાત્સલ્ય પ્રા. સંઘના મંત્રી શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસલિયાએ કહ્યું : “આપ સૌ જાણે છે કે આજે સાધુ-સાધ્વી શિબિરની પૂર્ણ દૂતિને દિવસ છે. ચાર માસ પહેલાં આજ સ્થળે તેની મંગળારંભ થયો હતું ત્યારે મેં કહેલું કે આજ ગુર્જર વાડામાં લગભગ ૨૪ વર્ષ પહેલાં મહારાજશ્રીએ સમૌન એકાંતવાસમાં જે વિચારેલું તેનું નિવેદન વાંચન તરીકે કર્યું હતું. તે વિચારોની ક્રાંતિ હતી. આ ચાતુર્માસમાં ફરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374