Book Title: Atmprabodh
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 259
________________ ૨૪૬ આત્મપ્રબોધ તારે ક્યારે પણ ન સાંભળવું. આ પ્રમાણે પુત્રને શિખામણ આપીને સ્વયં પ્રાણનો ત્યાગ કર્યો. ત્યાર પછી રોહિણેય પણ પિતાની શિખામણને યાદ કરતો નિત્ય ચોરી કરે છે. હવે કોઈ વખત શ્રી વીરપ્રભુ ત્યાં સમવસર્યા. દેવોએ સમવસરણ બનાવ્યું. ભગવાને ભવ્ય જીવોની આગળ સદ્ધર્મની દેશના આપવાની શરૂઆત કરી. ત્યારે તે ચોર ચોરી માટે રાજગૃહમાં જતો સમવસરણની નજીકમાં આવ્યો. ત્યાં આ પ્રમાણે વિચાર્યું: જો આ માર્ગથી જઈશ તો જિકેંદ્રની વાણીનું શ્રવણ થશે અને બીજો માર્ગ તો છે નહીં આથી શું કરું ? અથવા વિષાદ કરવાથી સર્યું. કાનના છિદ્રમાં આંગળીઓ નાખીને જાઉં. એ પ્રમાણે વિચારીને તે પ્રમાણે જ ક૨ીને ઉતાવળા પગલે ચાલ્યો. ત્યારે ઝડપથી જતા તેના પગમાં મજબૂત રીતે કાંટો ભાંગ્યો=લાગ્યો. કાંટો કાઢ્યા વિના એક પગલું પણ આગળ જવા માટે તે સમર્થ ન થયો. તેથી નહીં ઇચ્છતો હોવા છતાં પણ કાનમાંથી એક આંગળી કાઢીને તે આંગળીથી બહારના શલ્યને કાઢતા તેના અંતરના શલ્યને શોધનારી, દેવસ્વભાવને વર્ણવનારી અર્થાત્ દેવના સ્વરૂપને જણાવનારી વીરવાણી તેના કાનમાં પડી. તે આ પ્રમાણે अणिमिसनयणा मणकज्ज - साहणा पुप्फदामअमिलाणा । चरंगुलेण भूमिं न छिवंति सुरा जिणा बिंति ॥ १ ॥ અર્થ- અનિમિષ નયનવાળા, મનથી કાર્યને સાધનારા, અમ્લાનપુષ્પમાળાને ધારણ કરનારા, ભૂમિથી ચાર અંગુલ ઉપર ચાલનાર દેવો હોય છે. એમ જિનેશ્વરો કહે છે. ૫૧ા હવે આ ચોર ‘હા ! ઘણું સાંભળ્યું.' એ પ્રમાણે ચિંતા કરતો ઝડપથી કાંટો કાઢીને ફરી આંગળીથી કાન બંધ કરીને રાજગૃહ નગરમાં ગયો. ત્યાં ઇચ્છાપૂર્વક ચોરી કરીને તે ફરી ગિરિગુફામાં પ્રવેશ્યો. પરંતુ પગના શલ્યને કાઢતી વખતે સાંભળેલી વીરવાણીને જાણે કે શલ્ય કાઢ્યું જ નથી એમ માનતો નિત્ય ચિત્તમાં દુભાય છે. હવે નિરંતર તેના વડે આખુંય નગર લૂંટાયે છતે અત્યંત દુઃખી થયેલા લોકે અવસરે રાજાને પોતાનું દુઃખ જણાવ્યું. રાજાએ પણ મધુર વચનોથી લોકને આશ્વાસન આપીને કોટવાલને કહ્યું: અરે ! ચોરનો નિગ્રહ કરવા દ્વારા લોકરક્ષા કેમ કરતો નથી ? તેણે પણ કહ્યું: હે દેવ ! રૌહિણેય નામનો અતિ દુ:ખે કરી નિગ્રહ કરી શકાય એવો કોઈક ચોર પ્રગટ થયો છે. તેનો નિગ્રહ કરવા માટે ઘણા ઉપાયો કર્યા. પરંતુ કોઈ પણ ઉપાયથી તે પકડાતો નથી. આથી દેવ સ્વયં જ કોટવાળપણાને ગ્રહણ કરો. આ પ્રમાણે તેણે કહ્યું, એટલે રાજાએ અભયકુમા૨ની સન્મુખ જોયું. તેણે કહ્યું: હે તાત ! સાત દિવસની અંદર ચોરને લાવું છું. જો ન લાવું તો ઘણું કહેવાથી શું ? ચોરના દંડથી આપે મને દંડવો. એ પ્રમાણે કહીને અભયકુમાર ચારે બાજુથી ચોરના સ્થાનોને પ્રયત્નથી જોતો હોવા છતાં પણ ક્યાંય પણ ચોરને મેળવી શક્યો નહીં. ત્યાર પછી છઠ્ઠા દિવસે સંધ્યા સમયે નગરની મધ્યમાં લોકના કોલાહલનું નિવારણ કરીને કિલ્લાની બહાર ચારેબાજુ ભટોને ગોઠવી દીધા. તે દિવસે અપશુકનોથી રોકાયો હોવા છતાં તે ચોરે નગરની અંદર પ્રવેશ કરીને જેટલામાં કોઈના પણ ઘરમાં ચોરી કરવાની શરૂઆત કરી તેટલામાં પગલે પગલે રહેલા યોદ્ધાઓએ ભેગા થઈને એક હાક કરી, અર્થાત્ બધાએ ભેગા થઈને પકડોપકડો એમ એકી સાથે અવાજ કર્યો. તેનાથી ત્રાસ પામેલો તે ત્યાંથી પલાયન થઈને ઊંચો કૂદકો મારીને કિલ્લા ઉપર ચઢીને બહાર જેવો પડ્યો કે તરત યોદ્ધાઓએ તેને પકડી પાડ્યો અને સવારે


Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326